પિયૂષ ગોયલે 2019નું બજેટ રજૂ કરતા સમયે કહ્યું હતું કે Gratuityની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ કરી દેવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે પરંતુ શું ફાયદો જો તમને ખબર ન હોય કે ગ્રેચ્યુઇટી શું હોઇ છે તે કેવી રીતે મળે છે કેમ નક્કી કરવામાં આવે છે. તો તેનાથી તમને અવગત કરીએ છીએ.
1. ગ્રેચ્યુઇટી શું હોઇ છે?
કોઇ એક કંપનીમાં સતત કેટલાક વર્ષો સુધી કામ કરવા પર તમને સેલરી પેન્શન અને પ્રૉવિડેન્ટ ફંડ(પીએફ) સિવાય જે પૈસા મળે છે તેને ગ્રેચ્યુઇટી કહે છે. જોકે આ છંટાકભર ભાગ તમારી સેલરીથી પણ કપાઇ છે પરંતુ તમારી ગ્રેચ્યુઇટીનો મોટો ભાગ કંપની પોતાની તરફથી આપે છે.
એમ સમજી લો કે ગ્રેચ્યુઇટી કંપનીનો બનાવે લોન્ગ ટર્મ બેનિફિટ પ્લાન છે. જેમકે પ્રૉવિડેન્ટ ફંડ એટલે પીએફ. પીએફ તમને કોઇ પણ કંપનીમાં બે-ત્રણ મહીના કામ કરવા પર પણ મળી જશે. એટલા દિવસનું જેટલું પીએફ બનતુ હશે એટલું બની જશે. પરંતુ ગ્રેચ્યુઇટી માટે તમારે એક નક્કી કરે સમય સુધી નોકરી કરવી જ પડે છે.
2. કેમ મળે છે ગ્રેચ્યુઇટી અને કોણ આપે છે?
ગ્રેચ્યુઇટી એજ એમ્પ્લોય મળે છે જેમણે કંપનીમાં સતત પાંચ વર્ષ સુધી કામ કર્યું હોઇ. અને આપનાર કંપની ગ્રેચ્યુઇટી એક્ટ અનુસાર જે કંપનીમાં 10થી વધુ એમ્પ્લોય હોય છે ત્યાં ગ્રેચ્યુઇટીનું પ્રાવધાન હોઇ છે.
3. ગ્રેચ્યુઇટી નક્કી કેવી રીતે કરવામાં આવે છે?
આ ટેક્નિકલ વસ્તુ છે. અમિત શાહની જીડીપી જેટલી નથી તેનાથી ઓછી ટેક્નિકલ. માની લો કે કોઇ વ્યક્તિ કોઇ કંપનીમાં 30 વર્ષ સુધી કલાર્કની નોકરી કરે છે. છેલ્લી સેલરી જે તેમના એકાઉન્ટમાં આવી હતી તેમાં બેસિક સેલરી અને ડિયરનેસ અલાઉન્સ કુલ 50 હજાર રૂપિયા હતા. ગ્રેચ્યુઇટીનો હિસાબ લગાવતા સમયે મહિનાના 30માંથી 26 દિવસ જ ગણવામાં આવે છે કારણ કે વધેલા ચાર દિવસ રજાઓમાં ગણવામાં આવે છે.
તો 50 હજારને 26થી ભાગીએ દઇએ તો મળશે 1923.07 રૂપિયા. પછી સર્વિસના કુલ વર્ષોના 15થી ગુણા કરીશું 15થી એટલા માટે કે ગ્રેચ્યુઇટી એક વર્ષના 15 દિવસના હિસાબથી જ જોડવામાં આવે છે. તો 30 અને 15 ગુણા થઇ ગયા 450. હવે આ 450ને 1923.07થી ગુણા કરીશું. આથી 8 65 381 રૂપિયા નિકળશે. 30 વર્ષની નોકરી બાદ આ જ રકમ જે તે વ્યક્તિની ગ્રેચ્યુઇટી હશે. યાદ રાખજો ગ્રેચ્યુઇટી બેસિક સેલરી અન્ે ડીએ પર જ કાઉન્ટ કરવામાં આવે છે. આ સિવાય તમારી સેલરીના જેટલા પણ કંપોનેન્ટ હશે તેના ગ્રેચ્યુઇટી સાથે કોઇ લેવા દેવા નહીં હોય.
4. ગ્રેચ્યુઇટી કેટલી મળે છે?
આ તો એજ વાતથી નક્કી થયા છે કે તમારી છેલ્લી સેલરીમાં બેસિક સેલરી અને ડીએ કેટલી છે. તે જ હિસાબથી ઉમેરો-ઘટાડવો પડશે. ગ્રેચ્યુઇટીનો જે ભાગ તમારી સેલરીથી કાપવામાં આવે છે તે તમારી CTC(વાર્ષિક કૉસ્ટ ટૂ કંપની)ના આધાર પર નક્કી કરવામાં આવે છે.
5. જેમ PF મેનેજ કરવા માટે સંસ્થા છે તેમ ગ્રેચ્યુટી માટે કોઇ સંસ્થા છે?
ના આના માટે કોઇ સંસ્થા નથી. બસ ગ્રેચ્યુટી એક્ટ છે. જોકે લેબર યૂનિયન ગ્રેચ્યુટીને લઇને સરકાર પાસે માગણી કરી શકે છે. લેબર યૂનિયન ગ્રેચ્યુટીની પાંચ વર્ષની મર્યાદા ત્રણ વર્ષ કરવાની માંગ કરી હતી પરંતુ સરકાર ન માની. અત્યારે જે 10 લાખની લિમિટ 20 લાખ કરવામાં આવી છે તે સાતમા પગાર પંચે રેકમેન્ડ કરી હતી.
6. ગ્રેચ્યુટીનું કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો અને કેમ આવ્યો?
ગ્રેચ્યુટી સિસ્ટમ 1972માં શરૂ થઇ હતી. તેનો ઉદ્દેશ્ય એ હતો કે કર્મચારી કંપનીના વફાદાર અને ટકાઉ બન્યા રહે તેમને એક કંપની માટે લાંબા સમય સુધી કામ કરવાનો રિવોર્ડ મળે. પ્રાઇવેટ અને પબ્લિક કંપનિઓના જે કર્મચારી સેન્ટ્રલ સિવિલ સર્વિસેસના પેન્શન નિમય હેઠલ નથી આવતા તેમને રિટાયર થવા પર ગ્રેચ્યુટીના રૂપમાં સારીએવી રકમ મળી જાય છે. તો આ સિસ્ટમ કંપની અને કર્મચારીઓ બન્નેના ફાયદાનું વિચારીને શરૂ કરવામાં આવી હતી.
કર્મચારીઓ લાંબા સમય સુધી ટકવાથી કંપની પણ હળવાશમાં રહે છે. સાથે કોઇ કર્મચારી ઉંમર પહેલા રિટાયરમેન્ટ લઇ લે છે તો તેને વિકલાંગતા અથવા બીજા કારણોથી રિટાયરમેન્ટ લેવું પડે છે તો ગ્રેચ્યુટી તેના માટે મોટી રાહત હોય છે.
7. શું સૌને ગ્રેચ્યુટી મળે છે?
જેમ પહેલા જણાવ્યું જે વ્યક્તિ કંપનીમાં પાંચ વર્ષ પૂરા કરી લે તે ગ્રેચ્યુટીનો હકદાર થઇ જશે. પછી જેટલા વધુ સમય સુધી કામ કરતા રહેશે ગ્રેચ્યુટી એટલી જ વધારે રહેશે. પગાર પંચ લાગૂ થવા પર પણ ગ્રેચ્યુટીની રકમમાં વધે છે.