અયોધ્યામાં દીવાળીના અવસરે યોજાનાર દીપોત્સવ દેશ દુનિયામાં પોતાની ઓળખ બનાવી ચુક્યો છે. દીપોત્સવ 24થી 26 ઓક્ટોબરની વચ્ચે યોજાશે.લગભગ ચાર લાખ દીવા પ્રગટાવીને ગયા વર્ષનો રેકોર્ડ તોડવામાં આવશે.
અયોધ્યામાં દીવાળીના અવસરે યોજાનાર દીપોત્સવ દેશ દુનિયામાં પોતાની ઓળખ બનાવી ચુક્યો છે. આ વર્ષે દીપોત્સવને વધુ ભવ્ય રીતે મનાવાશે. આ વખતે દીપોત્સવમાં મોટી સંખ્યામાં દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી છે. દીપોત્સવ 24થી 26 ઓક્ટોબરની વચ્ચે યોજાશે. લગભગ ચાર લાખ દીવા પ્રગટાવીને ગયા વર્ષનો રેકોર્ડ તોડવામાં આવશે. ગયા વર્ષે સરયૂ નદીના કિનારે ત્રણ લાખ દીવડાઓ લગભગ 45 મિનિટ સુધી પ્રગટાવાયા હતા.
આ આયોજન ધાર્મિક મહત્ત્વની સાથે પર્યટનની દ્રષ્ટિએ પણ મહત્ત્વનું છે. સરકારનું માનવું છે કે તેના દ્વારા પર્યટનની મોટી શક્યતાઓ ઉભી થાય છે. આ આયોજન માટે પ્રશાસને તૈયારીઓ પુરી કરી લીધી છે. અયોધ્યાના 13 પ્રમુખ મંદિરોમાં ત્રણ દિવસ સુધી રોજ 5001 દીપ પ્રગટાવાશે. આ ઉપરાંત નગરના તમામ 10 હજાર મંદિરો અને ઘરમાં પણ દીપ પ્રગટાવાશે. જિલ્લા પ્રશાસન,
અયોધ્યા નગર નિગમ અને શહેરની મોટી શૈક્ષણિક સંસ્થાઓ આ ચળવળમાં સામેલ છે. આ વખતે દીપોત્સવનો કાર્યક્રમ અયોધ્યાના ગુપ્તારઘાટથી લઇને ભરતજીની તપોસ્થળી નંદીગ્રામ સુધી વિસ્તારવામાં આવ્યો છે.
આયોજન સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે દીપોત્સવમાં પાંચ દેશો મોરેશિયસ, નેપાળ, સુરીનામ, ઇંડોનેશિયા અને થાઇલેન્ડની રામલીલા મંડળીઓ રામલીલાનું મંચન કરશે. આ ઉપરાંત દેશના વિવિઘ ભાગમાંથી લગભગ 32 સાંસ્કૃતિક દળોનો કાર્યક્રમ થશે. શ્રીલંકાના કલાકારો પણ જોવા મળશે.
કેવી રીતે પહોંચશો દીપોત્સવમાં
ફ્લાઇટ- અયોધ્યાનું ખુદનું એરપોર્ટ નથી તેથી જો તમારે ફ્લાઇટમાં જવું હોય તો ગોરખપુર એરપોર્ટ સુધીની ટિકિટ કરાવો. ત્યાંથી અયોધ્યા નજીક છે.
ટ્રેન- દેશના લગભગ દરેક મોટા શહેરોથી ટ્રેન સીધી અયોધ્યા સુધી પહોંચે છે. તમે અયોધ્યા સુધીની ટિકિટ લઇ શકો છો. તમે જ્યાંથી આવવાના હો ત્યાંથી અયોધ્યા જંકશન સુધીની ટિકિટ કરાવો. અહીંથી તમે ઓટો કે કોઇ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટના માધ્યમથી કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી શકશો.
રોડ- ટ્રેનની જેમ રોડ દ્વારા પણ અયોધ્યા સારી રીતે કનેક્ટેડ છે. ઘણી સરકારી અને પ્રાઇવેટ બસ સેવાઓ પણ ઉપલબ્ધ છે જેને તમે તમારી સુવિધા અનુસાર પસંદ કરી શકો છો. ત્યાં પહોંચ્યા બાદ તમે શહેરમાં કોઇ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટના માધ્યમથી ફરી શકો છો.