જ્યારે પણ મહાભારતની વાત થાય છે તો પાંડવ અને કૌરવોમાં તેમના યોદ્ધાઓના પરાક્રમ અને શોર્યગાથાઓની ચર્ચા થાય છે જેમ કે ભીમ કર્ણ અર્જુન અને દુર્યોધનની પરંતુ કદાચ તમે નહિ જાણતા હોવ કે આ તમામ મહાબળવાનો ઉપરાંત એક અન્ય યોદ્ધા હતો જે આ દરેક કરતા વધારે શક્તિશાળી અને સાહસી હતો. એટલું જ નહિ આખુ મહાભારતનું યુદ્ધ તેણે પોતાના કપાયેલા શીર્ષ વડે જોયુ હતુ.
આ યોદ્ધાનું નામ હતુ બર્બરિક જેની પાસે એક એવું બાણ હતુ જેમાં ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કરવાની ક્ષમતા હતી. બર્બરિક ઘટોત્કચ નો પુત્ર હતો જેણે પોતાની માતા પાસેથી યુદ્ધની તમામ કળાઓ શીખી હતી.
હકીકતમાં બર્બરીકે ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી જેનાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે ત્રણ અમોધ તિર આપ્યા હતા.
બર્બરિક પણ મહાભારતના યુદ્ધમાં ભાગ લેવા માંગતો હતો પરંતુ તેની માતાએ એક શરત રાખી હતી કે કૌરવ અને પાંડવોમાંથી જે પણ હારી રહ્યુ હશે બર્બરિક તેની તરફથી લડશે.
ભગવાન કૃષ્ણ એ વાત જાણી ચુક્યા હતા કે બર્બરિક ખુભ શક્તિશાળી છે અને પોતાની ફક્ત એક બાણથી માહાભારતના યુદ્ધની કાયાપલટ કરી શકે છે કેમકે તે સમયે કૌરવોની સેના પાંડવોની સેના સામે હારનો સામનો કરી રહી હતી.
કૃષ્ણએ ભ્રહ્મણનો વેશ ધારણ કર્યો બર્બરિક પાસે યુદ્ધમાં જતા પહેલા તેનું શીર્ષ માંગી લીઘુ ત્યારે બર્બરિક ભગવાન કૃષ્ણને ઓળખી જતા પોતાનું શીર્ષ કાપીને આપવા તૈયાર થઈ ગયો.
બર્બરીકે પોતાનું શીર્ષ કાપીને આપવા માટે એક શરત પણ રાખી હતી કે તે આખા મહાભારતના યુદ્ધને પોતાની આંખોથી જોવા માંગે છે અને ભગવાનના વિરાટ રૂપના દર્શન પણ કરવા છે. કૃષ્ણએ બર્બરીકની શરત માની લીધી અને તેના કપાયેલા શીર્ષને એવી પહાડી પર મુક્યુ જ્યાંથી તે મહાભારતનું આખુ યુદ્ધ જોઈ શકે.