પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ સત્તાવાર વેબસાઇટ પર કહ્યું હતું કે, RPFમાં 9 હજાર કોન્સ્ટેબલની જગ્યાઓ માટે કોઈ ભરતી કરવામાં આવી નથી.
ભારતીય રેલ્વેમાં 9000 કોન્સ્ટેબલની ભરતીનો દાવો ખોટો
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ કહ્યું આવી કોઈ ભરતીની જાહેરાત કરાઇ નથી
ઉમેદવારોએ આવા સમાચારોથી સાવધાન રહેવાની જરૂર: PIB
દેશમાં અનેકવાર ફ્રોડ ભરતીના સમાચાર વાયરલ થતાં હોય છે. જોકે તાજેતરમાં રેલ્વે મંત્રાલય અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સમાં શુક્રવારે 9,000 કોન્સ્ટેબલ પદોની ભરતીને લઈ આવી જ બાબત સામે આવી છે. જોકે હવે રેલ્વે મંત્રાલય અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સે કહ્યું કે, આવી કોઈ સૂચના અમારા દ્વારા જાહેર કરવામાં આવી નથી. મતલબ કે આ ભરતી ફ્રોડ છે.
રેલ્વે મંત્રાલય અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સએ શુક્રવારે 9,000 કોન્સ્ટેબલ પદોની ભરતી અંગેના કેટલાક મીડિયા સંદેશાઓ અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેને 'કાલ્પનિક સંદેશ' ગણાવતા, રેલ્વે મંત્રાલય અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ કહ્યું કે આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી.
रेलवे सुरक्षा बल (आरपीएफ) में कांस्टेबल के 9000 पदों पर भर्ती के संबंध में मीडिया रिपोर्टों का खंडन
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ભારત સરકારની વેબસાઇટ પર જાહેર કરાયેલા રેલ્વે મંત્રાલયની સૂચના અનુસાર, રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)માં કોન્સ્ટેબલની 9000 જગ્યાઓની ભરતી અંગે મીડિયામાં એક કાલ્પનિક સંદેશ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. આરપીએફ અથવા રેલ્વે મંત્રાલય દ્વારા તેમની સત્તાવાર વેબસાઇટ પર અથવા કોઈપણ પ્રિન્ટ અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી.
શું છે સમગ્ર મામલો ?
RPFમાં કોન્સ્ટેબલની 9000 જગ્યાઓની ભરતીની ઘણી મીડિયા સંસ્થાઓ દ્વારા જાણ કરવામાં આવી રહી હતી. સમાચારમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, રેલવે ટૂંક સમયમાં 9000 ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવા જઈ રહી છે. બનાવટી અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ ભરતી અભિયાન દ્વારા કોન્સ્ટેબલ વોટર કેરિયર, સફાઈવાલા, વોશરમેન, વાળંદ, માળી વગેરેની જગ્યાઓ માટે કુલ 9000 જગ્યાઓ ભરવામાં આવશે. 10, 12 પાસ ઉમેદવારો RPF કોન્સ્ટેબલની ભરતી માટે અરજી કરી શકશે. પરંતુ તેમની વય મર્યાદા લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 25 વર્ષ સુધીની હોવી જોઈએ.
જોકે હવે આના જવાબમાં પીઆઈબીએ કહ્યું કે, સત્તાવાર વેબસાઈટ પર આવી ભરતીની કોઈ માહિતી કે સૂચના જારી કરવામાં આવી નથી. , ઉમેદવારોએ આવા સમાચારોથી સાવધાન રહેવાની જરૂર છે.