ફેંગશુઇ અને ધાર્મિક માન્યતા અનુસાર, જો તમારા ઘરે અથવા તો કાર્યસ્થળ પર કાચબો રાખવો લાભકારી સાબિત થાય છે.
કાચબો રાખવાથી પરિવારના સભ્યો પર સકારાત્મક પ્રભાવ પડે છે. ફેંગશુઇ વિજ્ઞાનના અનુસાર, કાચબો રાખવાથી ઘરના લોકોનું આયુષ્ય વધે છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે. આ સિવાય બિઝનેસ માટે પણ કાચબો લાભકારી છે. આજે અમે તમને જણાવીશું કાચબાને ઘર કે ઑફિસમાં રાખવાના લાભ...
- પૌરાણિક ગ્રંથોમાં પણ કાચબાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિંદૂ ધર્મ અનુસાર, કાચબો એટલા માટે શુભ અને સુખ સમુદ્ઘિવાળો માનવામાં આવશે છે કેમકે ભગવાન વિષ્ણુએ પોતે કાચબાનો અવતાર લીધો હતો જેને તેમનો કૂર્મ અવતારના નામથી જાણી શકાય છે. ભગવાન વિષ્ણુએ કાચબનુ રૂપ ધારણ કરીને ક્ષીરસાગરના સમુદ્ર મંથનના સમયે મંદ્રાંચલ પર્વત પર પોતાનુ કવચ થામ્યુ હતુ. આ માટે પોતાના વેપાર અને ઘરમાં સુખ-સમુદ્ઘિ બનાવી રાખવા માટે કાચબો મંગળકારી છે.
- કાચબો લાંબા સમય સુધી જીવિત રહેતો શાંત જીવ છે. કાચબાની ફોટો અથવા તો પછી અષ્ટધાતુથી બનતા કાચબાને પણ ઘરના મંદિરમાં રાખી શકાય છે. કાચબાને પાણીથી ભરેલી પિત્તળ અથવા તો અષ્ટધાતુના પાત્રમાં જ રાખવો જોઇએ.
- વાસ્તુ અનુસાર, ઉત્તર દિશા શુભ હોય છે. આ માટે કાચબાનું ચિત્ર તમારે ઉત્તર દિશા તરફ લગાવવું જોઇએ જેથી ઉત્તર દિશાને લક્ષ્મીજીની દિશા માનવામાં આવે છે. આમ કરવાથી ધન લાભ અને શત્રુઓને નાશ થાય છે. ઘર અને દુકાનના મુખ્યદ્વાર પર કાચબાનું ચિત્ર લગાવવાથી વેપારમાં ધનલાભ અને સફળતા મળે છે. કાચબો પ્રાપ્તિ સૂચક હોય છે. જો કોઇ ધન સંબંધિત પરેશાની હોય તો ક્રિસ્ટલવાળો કાચબો લાવવો જોઇએ.
- ફેંગશુઇ અનુસાર, કાચબાને ક્યારેય પણ બેડરૂમમાં ના રાખવો જોઇએ કેમકે આમ કરવાથી ફેંગશુઇના હિસાબે નુકસાન થાય છે, તો ઉલ્ટો પ્રભાવ પડે છે. કાચબાની સ્થાપના હેતુ સર્વોત્તમ સ્થાન ઘરનો ડ્રોઇંગ રૂમ છે. ઘર પર રાખનારા કાચબાનું મોં ઘરની અંદરની તરફ હોવુ જોઇએ.
- કાચબો રાખવાથી ઘરના સભ્યોનું આયુ વધે છે, કેમકે કાચબો લાંબી ઉમંરનો જીવ છે. કાચબો લાંબા સમય સુધી જીવે છે અને સમુદ્ઘિમાં પણ વૃદ્ઘિ થાય છે, એટલા માટે ઘર અથવા તો ઑફિસમાં તેનો લાભ વધારે થાય છે
- જો ઘરના સભ્યો વચ્ચે વારંવાર વાદવિવાદ થતો હોય તો ઘરમાં 2 કાચબાની જોડી રાખવી જોઇએ. આમ કરવાથી ઘરના સભ્યોની વચ્ચે ચાલી રહેલા વાદવિવાદ ખત્મ થશે અને પ્રેમ વધશે. કાચબો ઘર પર રાખવાથી શાંતિ બની રહેશે.
- ફેંગશુઇ અનુસાર, કાચબાને ઘરે રાખવાથી કોઇની ખરાબ નજર નથી લાગતી, કાચબો નજર દોષથી બચાવે છે સાથે જ કોઇ વ્યકિતના લાંબા સમયથી સ્વાસ્થ્ય ઠીક ના રહેતુ હોય તો કાચબાને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઇએ, જેથી લાભ થાય છે. ઘરનાં કાચબો રાખવાથી વાતવારણ પવિત્ર અને શુદ્ઘ થાય છે.
- વાસ્તુ અને ફેંગશુઇ અનુસાર, કાચબાના પીઠ પર કાચબાના બચ્ચા હોય તો સંતાન પ્રાપ્તિ માટે ખાસ માનવામાં આવે છે. જે ઘરમાં સંતાન ના હોય અથવા તો દંપત્તિ સંતાન સુખથી વંચિત હોય, તેઓએ આ પ્રકારના કાચબાને પોતાના ઘરમાં રાખવા જોઇએ. માનવામા આવે છે જલ્દીથી આ સમસ્યાનો ઉકેલ આવે છે