હાલમાં અધિક મહિનો ચાલી રહ્યો છે. હિંદૂ પંચાગના અનુસાર 13 જૂન સુધી અધિક મહિનો ચાલશે. અધિક મહિનો 3 વર્ષમાં 1 એક વખત જ આવે છે. એક જ્યોતિષી અનુસાર અધિક મહિનાને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે. પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનું એક નામ છે. આ જ કારણથી ભગવાન શ્રીહરિની ખાસ પૂજા કરવામાં આવે છે. વિષ્ણુજીને પ્રસન્ન કરવા માટે રોજ સાંજે તુલસીને સેવા કરવી જોઇએ આજે અમે તમને જણાવીશું તુલસી પૂજાથી જોડાયેલી કેટલીક ખાસ વાતો...
મંત્ર:
वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी।
पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।
एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम।
य: पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।।
આ રીતે કરવો મંત્રનો જાપ:
અધિક માસમાં રોજ સવારે જલદી ઊઠી સ્નાન કરી તુલસીના છોડની પૂજા અને પરિક્રમા કરો તથા ગાયના શુદ્ધ ઘીનો દીવો કરો.
ત્યારબાદ એકાંતમાં જઈને દર્ભના આસન પર બેસી તુલસીની માળાથી આ મંત્રનો જાપ કરો.
મંત્રજાપ કરતી વખતે મોં પૂર્વ દિશા તરફ હોવું જોઇએ. ઓછામાં ઓછી 5 માળાનો જાપ અવશ્ય કરવો. તમે ઇચ્છો તો વધારે મંત્રજાપ પણ કરી શકો છો.
આસન માળા અને સ્થાન એકજ હોય તો મંત્રનું ફળ બહુ જલદી મળે છે.
આ સાથે જ દરરોજ સાંજે તુલસીની પરિક્રમા કરો.
અધિક માસ સિવાય પણ આ મંત્રનો જાપ કરી શકાય છે.
આ મંત્ર દૂર કરશે તમામ મુશ્કેલી:
તુલસીના આ મંત્રનો જાપ કરવાથી તુલસી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. ઘરમાં સુખશાંતિ રહે છે અને તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.
તુલસીની પાસે રાખો શાલીગ્રામ:
આ સાથે જ તુલસીની પાસે શાલીગ્રામ રાખો શાલીગ્રામ ભગવાન વિષ્ણુનું જ એક રૂપ છે. તુલસીની સાથે શાલીગ્રામની પૂજા કરવી જોઇએ.
આ રીતે કરો તુલસીની સેવા:
દરરોજ સવારે તુલસીની આસપાસ સારી રીતે સાફ-સફાઇ કરો.
તુલસીના પીળા થઇ ચૂકેલા અને સૂખાં પાનને દૂર કરો.
નિયમિત રૂપથી પાણી અવશ્ય ચઢાવો ઉનાળાના દિવસોમાં તુલસીને તડકાથી બચાવો.