વર્ષ 2007માં આપણને વર્લ્ડ કપ જીત્યો હતો અને એ પછીથી દરેક ભારતીય ફરી જીતની રાહ જોઈને બેઠું છે. પણ વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયા ઈજાગ્રસ્ત થઈ રહી છે.
આ વખતે ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ કપમાં ઇતિહાસ બનાવવાનો મોકો છે
પણ ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ ઇજાગ્રસ્ત
આમ કેવી રીતે જીતી શકશું વર્લ્ડકપ?
ઓસ્ટ્રેલીયામાં ટી20 વર્લ્ડ કપ 2022 રમવામાં આવશે અને ટૂર્નામેન્ટની પહેલી મેચ 16 ઓકટોબરના રોજ રમવામાં આવશે. જોકે ટીમ ઈન્ડિયા 23 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે મેચ રમીને વર્લ્ડ કપમાં શરૂઆત કરશે. ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા પહોંચી ચૂકી છે અને ત્યાં રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. આ વખતે ટીમ ઈન્ડિયા પાસે ઇતિહાસ બનાવવાનો ઘણો સારો મોકો છે. વર્ષ 2007માં આપણને વર્લ્ડ કપ જીત્યો હતો અને એ પછીથી દરેક ભારતીય વર્લ્ડ કપની રાહ જોઈને બેઠું છે. પણ વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયા ઈજાગ્રસ્ત થઈ રહી છે.
ઘાયલ ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે, કેમકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇજાને કારણે વર્લ્ડ કપથી બહાર થઈ ગયા છે. બુમરાહના ઇજાગ્રસ્ત થયા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે ઉમરાન મલિક અથવા મોહમ્મદ શામી આ ટુર્નામેન્ટમાં તેમની જગ્યા લઈ શકે છે. પણ હવે એવો દાવો કરવામાં આવે છે કે મોહમ્મદ શામી ટી20 વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહની જગ્યા લેશે. જો કે આ પછી હવે બીજા સમાચાર બહાર આવ્યા છે કે દીપક ચહર પણ ઈજાગ્રસ્ત થયો છે. ભલે ચાહરT20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો હિસ્સો નહોતો પણ તેનું નામ રિઝર્વ ખેલાડીઓની યાદીમાં હતું.
આમ કેવી રીતે જીતી શકશું વર્લ્ડકપ?
એશિયા કપમાંથી જ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો અને એ પછી તે T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો. હવે બોલર બૂમરાહ પણ ટીમ ઈન્ડિયાની બહાર છે. જસપ્રીત બુમરાહને IPL છોડીને બાકીની દરેક મેચમાં આરામ આપવામાં આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાને જાણ હતી કે બૂમરાહ ફિટ નથી તો તેની જગ્યાએ કોઈ બીજો ખેલાડી કેમ તૈયાર કરવામાં નથી આવતો આ પ્રશ્ન દરેક ફેન્સના મનમાં આવી રહ્યો છે.
ઈન્ટરનેશનલ અને T20 મેચમાં આરામ પણ IPLની એક મેચ પણ ન છોડી
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાથી ઓપનિંગ માટે રોહિત શર્મા અને કેએલ રાહુલ આવે છે અને વિરાટ કોહલી નંબર-3 ઉપર આવે છે. આ વાત વર્ષોથી આમ જ છે અને એ માટે ગયા વર્લ્ડકપ પછીથી ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને તેને કારણે વર્ષ દરમિયાન ઘણા મેચ પણ હાર્યા છીએ. જણાવી દઈએ કે વિરાટ કોહલી 59 ઈન્ટરનેશનલ મેચમાંથી 31 મેચમાં રમ્યો નથી અને રાહુલે 37 મેચ નથી રમી. આ સહિત કેપ્ટન રોહિત શર્માએ પણ 25 મેચ મિસ કરી છે. જોકે આ સિવાય T20 મેચની વાત કરી તો વિરાટે ભારત માટે 35 મેચમાંથી 21 મેચ રમી નથી. તો કેએલ રાહુલે 23 મેચ અને રોહિતે 9 મેચ નથી રમી.
આરામ કરી કરીને ઇજાગ્રસ્ત બની ગઈ ટીમ ઈન્ડિયા
ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એમને વચ્ચે વચ્ચે આરામ આપવામાં આવે છે પણ IPLમાં દરેક મેચ તેઓ રમે છે. જણાવી દઈએ કે ગયા વર્ષેની IPL સિઝનમાં રોહિત અને બુમરાહે મુંબઈ ઈન્ડિયંસ માટે સતત 14 મેચ રમી હતી. વાત અહિયાં પૂરી નથી થતી, આપણે બધા જાણીએ છીએ કે 10 મેચ પછી જ મુંબઈ ઈન્ડિયંસ પ્લે-ઑફની થઈ ગઈ હતી એ છતાં પણ રોહિત અને બુમરાહે બીજી ચાર મેચ રમી હતી. બુમરાહ વર્લ્ડ કપમાં સારું પ્રદશન કરે એટલા માટે તેને આખા વર્ષમાં ઘણો આરામ આપવામાં આવ્યો હતો પણ વર્લ્ડ કપ પહેલા જ પીઠની ઈજાના કારણે ટીમની બહાર થઈ ગયો છે. હવે જોવાનું રહ્યું કે આ વર્લ્ડ કપમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓ સાથે ટીમ ઈન્ડિયા કેવું પ્રદશન કરશે..