દેશના નાગરિકો માટે કાયમી એકાઉન્ટ નંબર એટલેકે પાન કાર્ડને સૌથી મહત્વના દસ્તાવેજોમાંથી એક ગણવામાં આવે છે. જેનો ઉપયોગ ફક્ત ટેક્સ માટે નહીં પરંતુ ઓળખ પત્ર તરીકે પણ કરવામાં આવે છે.
PAN કાર્ડને ઓનલાઈન કેવીરીતે વેરિફાઈ કરશો?, જાણો પદ્ધતિ
ઈન્કમ ટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
વિભાગે કરદાતાઓને 1.23 લાખ કરોડ રૂપિયા રિફંડ કર્યા
નાણાંકીય લેવડ-દેવડના કામમાં પાન કાર્ડ જરૂરી
આઈકાર્ડ સિવાય નાણાંકીય લેવડ-દેવડના કામમાં પાન કાર્ડ જરૂરી છે. જેને દેશના ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. ઈન્કમ ટેક્સ વિભાગના પોર્ટલ પર આઈટીઆર ઈ-ફાઈલિંગમાં પાન રજીસ્ટર્ડ હોવુ અત્યંત જરૂરી છે. તમારું પાન કાર્ડ ઈન્કમ ટેક્સ પોર્ટલ સાથે જોડાયેલુ છે કે નહીં, તેને જાતે વેરિફાઈ કરી શકો છો.
પાન કાર્ડ ઓનલાઈન કેવીરીતે વેરિફાઈ કરશો?
ઈન્કમ ટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઈટ www.incometax.gov.in પર જાઓ.
હવે Quick Links સેક્શનમાં Verify Your PAN પર ક્લિક કરો.
હવે નવુ પેજ ખુલશે. અહીં તમારો પાન કાર્ડ નંબર દાખલ કરો.
આ સિવાય બોક્સમાં પોતાનુ આખુ નામ, જન્મ તારીખ અને પોતાનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નાખો.
હવે Continue પર ક્લિક કરો.
ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી મળેલુ ઓટીપી નાખો.
હવે Validate પર ક્લિક કરો તો PAN is Active and details are as per PAN મેસેજ લખેલું તમને જોવા મળશે અને આ રીતે તમારું પાન કાર્ડ વેરિફાઈ થઇ શકે છે.
1.23 લાખ કરોડ રૂપિયા રિફંડ કરાયા
ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગે ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધી રિફન્ડ તરીકે 1.23 લાખ કરોડ રૂપિયા કરદાતાઓને પાછા આપ્યાં છે. વિભાગે બુધવારે જણાવ્યું કે આ રકમમાં આકારણી વર્ષ 2021-22 હેઠળ 75.75 લાખ કરદાતાઓને કરવામાં આવેલુ રિફંડ પણ સામેલ છે. તેમને 15,998.31 કરોડ રૂપિયા રિફંડ કરવામાં આવ્યાં.