ભારતીય ખોરાકમાં મસાલાનું ખાસ સ્થાન છે. દુનિયાભરમાં ભારતીય ભોજન મસાલા અને તેમની ખાસ સુંગધ માટે જાણીતું છે. આ જ મસાલાઓમાંથી એક છે ધાણા. ધાણાનો એક નાનકડો છોડ હોય છે. જેના પાનથી લઇને બીજ સુધી દરેક વસ્તુઓ ઉપયોગ કરી શકાય છે. ખોરાકને સ્વાદિષ્ટ બનાવતા ધાણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ધાણા વજન ઘડાડવાથી લઇને ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે પણ ફાયદાકારક છે.
ધાણામાં આયર્ન વિટામિન A K Cની સાથે ફોલિક એસિડ મેગ્નેશિયમ અને કેલ્શિયમ છે. જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. ભોજનમાં ખાસ સ્વાદ ઉમેરવા ઉપરાંત ધાણાના બીજ અને પાંદડામાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણો હોય છે. રિસર્ચમાં સામે આવ્યુ છે કે ધાણા કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે ભૂખ વધારે છે અને પાચનક્રિયા સુધારે છે. એટલું જ નહી ધાણાના બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે.
ધાણા ડાયાબિટીસ સામે લડવા માટે વિશ્વસનીય પારંપારિક ઉપચાર છે. એક રિસર્ચ પ્રમાણે ધાણાના બીજમાં રહેલા તત્વો લોહીમાં એન્ટી-હાઈપરગ્લાઈકેમિક ઈન્સ્યુલિન ડિસ્ચાર્જિંગ અને ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે જેનાથી બ્લડમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
ડાયાબિટીસ માટે આ રીતે બનાવો ધાણાનું પાણી:
10 ગ્રામ આખા ધાણા લો. હવે ધાણાને બે લિટર પાણીમાં પલાળો. આખી રાત ધાણા પલાળી રાખો. સવારે આ પાણીને ખાલી પેટ પીવો અથવા તો આખો દિવસ આ પાણી પી શકો છો.