જ્યારે પણ સીઝન બદલાય છે અને શિયાળાના ઠંડા પવનો શરૂ થાય છે ત્યારે સ્વાસ્થ્યને લગતી અનેક તકલીફો પણ શરૂ થાય છે. મોટાભાગે લોકોને શરદી અને ખાંસીની તકલીફ જોવા મળે છે. આ સમયે જો તમે એન્ટીબાયોટિક્સ લેવાનું પસંદ નથી કરતા તો તમે રાહતને માટે કેટલાક સરળ અને ઘરેલૂ ઉપાયો અજમાવી શકો છો. મોટાભાગે શરદી - ખાંસીની ફરિયાદમાં ગળા સંબંધી તકલીફો વધારે જોવા મળે છે. આ માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી શકો છો. જે તમને તરત જ રાહત આપી શકે છે.
શરદી -ખાંસીમાં ટ્રાય કરો આ ઘરેલૂ ઉપાય
રાહત આપવાની સાથે શરીરને આપશે ગરમી
શિયાળામાં અકસીર છે આ દેશી નુસખા
જ્યારે પણ શરદી- ખાંસી થાય ત્યારે ગરમ ચીજોનું સેવન કરવાનું રાખો. આ સિવાય હળદરવાળું દૂધ પણ તમને રાહત આપશે. ઉકાળો, આદુની ચા, મીઠાના પાણીના કોગળા આ દેશી નુસખા તમને ઝડપથી રાહત આપશે. આવો જાણીએ કયા નુસખા તમે ઘરે જ ટ્રાય કરી શકો છો.
હર્બલ અને તુલસીની ચા પીવાથી ખાંસી અને શરદીને દૂર કરવામાં મદદ મળે છે.
શરદી અને કફને દૂર કરવામાં હળદળવાળું દૂધ લાભદાયી નીવડે છે.
ગળામાં ખારાશ થઈ હોય તો મીઠાને ગરમ પાણીમાં નાંખીને કોગળા કરવાથી રાહત મળે છે.
પાણીની સાથે કિશમિશની પેસ્ટ બનાવી તેમાં ખાંડ નાંખીને ઉકાળો. તેનું સેવન લાભદાયી રહેશે.
લસણને શેકીને તેને ખાઈ લો અથવા સૂપ બનાવીને ઉપયોગમાં લેવાથી રાહત મળે છે.
લવિંગ અને મીઠાના પાણીનો ઉપયોગ ઉકાળા તરીકે કરવાથી લાભ મળે છે.
આદુની સાથે મધ લેવાથી શરદી -ખાંસીમાં રાહત મળે છે.
મૂલેઠીનું ચૂરણ મધ સાથે ચાટવાથી પણ રાહત મળે છે.
એક ચમચી લીંબુના રસમાં બે ચમચી મધ મિક્સ કરીને તેને હૂંફાળા પાણી સાથે પીવાથી રાહત મળે છે.
ચામાં લીંબુ નાંખીને પણ પી શકો છો, તે ગળાના દર્દ અને ખાંસીમાં રાહત આપે છે.
સરસોના તેલને નહાઈ લીધા બાદ નાસિકા પર લગાવવાથી શરદીમાં રાહત મળે છે.
ખારેકને દૂધ સાથે ઉકાળીને પીવાથી પણ રાહત મળે છે.
હૂંફાળા તેલના કેટલાક ટીપાં કાનમાં નાંખો અને પછી તેને રૂથી બંધ કરો. તેનાથી તમને કફથી છૂટકારો મળશે.