આકરા તાપમાં બને એટલુ ઘરની બહાર નીકળવાનું ટાળો, પરંતુ જો તાપમાં બહાર જવુ જ પડે તેમ હોય તો ફુડ હેબિટમાં બદલાવ કરવો જરુરી
લૂથી બચવા માટેના ઘરેલુ ઉપાય
કાચી કેરી અને આમલીનું પાણી ઉત્તમ
છાશ-નારિયેળનું પાણી પણ ઉપયોગી
એપ્રિલમાં ગરમી કહેર વર્તાવી રહી છે. આકરા તાપની સાથે ગરમ પવનો પણ ફૂંકાઇ રહ્યા છે.. ઉનાળાની ઋતુમાં ઉત્તર ભારતમાં ગરમીનું મોજુ પ્રવર્તે છે.
આકરા તાપથી બચવા માટે કોઇને કોઇ ઉપાય આપણે શોધતા હોઇએ છીએ , જેમકે છત્રી લઇને બહાર નીકળવુ, ટોપી કે દુપટ્ટો બાંધવો વગેરે. પરંતુ ઉનાળાની સિઝનમાં મળતી અમુક વસ્તુઓ પણ તમને લૂ લાગવાથી બચાવી શકે છે.ત્યારે આવો જાણીએ કઇ વસ્તુનું સેવન કરવાથી લૂ લાગે નહી.
આમ પન્ના
ઉનાળામાં આમ પન્નાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને બમણો ફાયદો થાય છે. તે કાચી કેરી અને મસાલા વડે બનાવવામાં આવે છે. તે શરીરને ઠંડક પહોંચાડે છે. જે તમને લૂથી બચાવે છે. તે દિવસમાં ઓછામાં ઓછા બે થી ત્રણ વખત પીવું જોઈએ. આમ પન્ના જીરું, વરિયાળી, કાળા મરી અને કાળા મીઠું જેવા મસાલામાંથી બનાવવામાં આવે છે. જે તમારા શરીરને ઉર્જા પ્રદાન કરે છે.
આમલીનું પાણી પીવો
આમલી વિટામિન્સ, મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર હોય છે. આ માટે થોડી આમલીને ઉકળતા પાણીમાં પલાળી રાખો. આ પછી તેને એક ચપટી ખાંડ સાથે પીવો. આ ઉકાળો તમારા શરીરનું તાપમાન ઘટાડે છે. આમલીનો રસ પેટની બિમારીઓની સારવારમાં મદદ કરે છે.
છાશ અને નારિયેળનું પાણી
છાશ એ પ્રોબાયોટીક્સનો સારો સ્ત્રોત છે અને તમારા શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે. એ જ રીતે, નાળિયેર પાણી તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને કુદરતી રીતે સંતુલિત કરીને તમારા શરીરના તાપમાનને સંતુલિત કરે છે.
કોથમીર અને ફુદીનાના પાનનો રસ
કોથમીર અથવા ફુદીનાના પાનનો રસ કાઢીને તેમાં ચપટી સાકર નાખીને પીવાથી શરીરની ગરમી ઓછી થાય છે. આયુર્વેદ અનુસાર આ જડીબુટ્ટીઓ શરીરને ઠંડક આપવામાં મદદ કરે છે. તેના ઠંડકના ગુણોને કારણે, ધાણાનું પાણી મેનોપોઝની ગરમી અને સોજો ઘટાડવા માટે પણ એક ઉત્તમ ઉપાય માનવામાં આવે છે.
તુલસીના બીજ અને વરિયાળીના બીજ
તુલસીના બીજને ગુલાબજળમાં ભેળવીને પીવાથી તમારા શરીરના તંત્રને તરત ઠંડક મળે છે. વરિયાળીના બીજને ઠંડક આપનાર મસાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે તેને રાત્રે થોડા પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ગાળીને પી લો. તે તમારા શરીરને ઠંડુ રાખશે અને ગરમીથી બચાવશે.
લૂથી બચવા માટેના અન્ય ઉપાય
થોડી આખી કોથમીરને પાણીમાં પલાળી રાખો. જ્યારે તે ફૂલી જાય ત્યારે તેને મેશ કરીને ગાળી લો અને થોડી ખાંડ નાખીને પી લો.
ઉનાળાની ઋતુમાં આમ પન્ના તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જો તમારી પાસે કોઈ કામ હોય, તો સવારે અથવા સાંજે બહાર જવાનો પ્રયાસ કરો. ઓછામાં ઓછું સૂર્યમાં બહાર જાઓ. બહાર જવાનું હોય તો માથું ઢાંકીને રાખો.
કાચી ડુંગળી તમને હીટસ્ટ્રોકથી પણ બચાવી શકે છે. તેથી ડુંગળીનું સેવન વધુ માત્રામાં કરો.
વારંવાર પાણી પીતા રહો. જેથી તમારું શરીર ડીહાઈડ્રેશનનો શિકાર ન બને.
પાણીમાં લીંબુ અને મીઠું નાખીને દિવસમાં 2-3 વખત પીવો. આ હીટસ્ટ્રોકનું જોખમ ઘણું ઘટાડે છે.
હીટસ્ટ્રોકથી બચવા માટે બીલુંનું શરબત ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે તમારા શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરે છે.
બહારથી આવ્યા પછી તરત જ પાણી પીવાનું ટાળો. શરીરનું તાપમાન સામાન્ય થાય પછી જ પાણી પીવો.
ઉનાળામાં ગરમીથી બચવા માટે હંમેશા ઢીલા અને સુતરાઉ કપડા પહેરો, તેમજ જ્યારે તમે ઘરની બહાર જાવ ત્યારે છત્રી સિવાય પાણીની બોટલ અને કેટલીક ખાદ્યપદાર્થો સાથે રાખો.