રસોઇનો સ્વાદ ત્યારે જ બરાબર આવે જ્યારે તેમાં મીઠુ સ્વાદઅનુસાર હોય. ઓછા વત્તા પ્રમાણમાં મીઠુ હોય તો રસોઇનો સ્વાદ ફીકો થઇ જાય છે. કેટલીક વાર રસોઇ કરતી વખતે દાળ કે શાકમાં મીઠુ વધારે પડી જાય તો તેને નોર્મલ કરવું અઘરુ થઇ જતું હોય છે. ખાસ કરીને નવી વહુ કે જેણે નવું નવુ જમવાનું બનાવવાનું શરૂ કર્યુ હોય તેની સાથે આવું થાય છે. તો તેને કેવી રીતે નોર્મલ કરવું તેના વિશે આજે જણાવીશું
નવી વહુથી ભૂલ થઇ હોય તો સુધારો
મીઠુ વધારે પડી ગયુ હોય તો આ ટિપ્સ અપનાવો
દાળ-શાકનો સ્વાદ થઇ જશે બરાબર
બટાકુ
દાળ કે શાકમાં મીઠુ વધારે પડી જાય ત્યારે તેમાં બટાકુ છોલીને નાખી દેવું જોઇએ અને જમવાનું પીરસતા પહેલા તેને કાઢી લેવું જોઇએ, જેથી મીઠાનું પ્રમાણ બરાબર થઇ જાય.
લોટ
જો તમારી નવી વહુથી ખાવામાં મીઠુ કે મરચુ વધારે પડી જાય તો સાસુની વઢથી બચવા માટે તેમાં લોટનું ગુલ્લુ નાંખી દેવું જોઇએ અને જ્યારે પીરસવાનું હોય તે પહેલા કાઢી લેવું જોઇએ જેથી વધારાની તીખાશ અને ખારાશ લોટમાં આવી જાય.
દહીં
ગ્રેવીવાળું શાક હોય તો તેમાં મીઠુ-મરચું ઓછુ કરવા દહીં નાખી દેવું જોઇએ જેથી શાકમાંથી મીઠુ અને મરચુ ઓછુ થઇ જાય. સ્વાદ સારો થઇ જાય અને ઘરના લોકો વચ્ચે નવી વહુની ઇમ્પ્રેશન સારી પડે.
મલાઇ
શાકમાંથી મીઠુ ઓછી કરવા માટે તેમાં તમે થોડી ફ્રેશ મલાઇ પણ નાંખી શકો છો જેના કારણે સ્વાદ બેલેન્સ થઇ જાય.
બાફેલા બટાકા
જો તમારું શાક તેવું હોય કે જેમાં બટાકા મિક્સ થઇ શકે તેવા હોય તો તેમાં બાફેલા બટાકા નાંખીને વ્યવસ્થિત મિક્સ કરી લો, જેનાથી સ્વાદ બેલેન્સ થઇ જશે.
ધી કે બટર
જો તમારું ગ્રેવી વાળું શાક છે તો તેમાં તરત જ બટર કે ઘી નાંખી દો જેનાથી વધારે માત્રામાં મીઠુ ઓછુ થઇ જશે. ધ્યાન રાખો કે તેમાં સોલ્ટેડ બટરનો ઉપયોગ ન કરો.