વધતા વજનથી તો પરેશાની થાય કે સ્વાભાવિક છે પરંતુ પેટ પણ વધતુ જઇ રહ્યુ હોય તો સાવધાન થઇ જજો
પેટ બહાર આવી જવાથી છો પરેશાન
તમારા ડાયટમાં કરો સામાન્ય ફેરફાર
પેટની ચરબી ઘટાડવા આસાન ટિપ્સ
ફાસ્ટફૂડ અને ફાસ્ટ યુગ. આ બંનેને કારણે આપણી લાઇફ સ્ટાઇલ આમ સરળ પરંતુ શારીરિક દ્રષ્ટિએ જોખમી સાબિત થઇ રહી છે. ફાસ્ટફૂડને કારણે નાના બાળકોથી માંડીને સૌ કોઇ મેદસ્વિતાનો ભોગ બની રહ્યા છે તેમાં પણ સાવ બેઠાડા જીવનને કારણે શરીર વધતુ જ જાય છે. તેમાં પણ પેટ તો ખાસ. પેટ બહાર આવી જવુ આ સમસ્યાથી દરેક લોકો પરેશાન છે. સ્લીમ ફીટ બોડી આપણને જોઇએ તો પછી પેટ પણ ફ્લેટ હોવુ જોઇએને. ત્યારે જો તમારુ પેટ પણ બહાર લટકતુ હોય તો તમારે ખાવા પીવામાં આ ખાસ સાવધાની રાખવાની જરુર છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખો કે તમે જે પણ પ્રયોગ કરો તેને બે દિવસ કર્યા પછી છોડી ન દો. કન્ટીન્યુ ચાલુ રાખો, ફરક દેખાશે.
ડાયટમાં રાખો ખાસ ધ્યાન
પેટ વધી રહ્યુ છે તેના માટે ડાયટ અને કસરત આ બંને અસરકારક વિકલ્પ છે. પરંતુ આ માટે તમારે કેટલીક એવી વસ્તુઓ છે જેને ખાવામાં ધ્યાન રાખશો તો જ તમારુ પેટ ફ્લેટ થવાની શક્યતા છે. ત્યારે આવો જાણીએ પેટની ચરબી ઘટાડવા માટે ક્યા નુસખા છે ઉપયોગી
ગરમ પાણી પીવો
શિયાળાની ઋતુમાં ગરમ પાણી પીવાની ટેવ પાડો. આ તમને શરદી જેવી સમસ્યાથી તો બચાવશે જ, પરંતુ તમારી ચરબી પણ ઓછી કરશે. સવારે દૂધની ચાને બદલે ગરમ ઉકાળેલું પાણી પીવો. આ સાથે તમારું પાચનતંત્ર પણ સારું રહેશે. ગરમ પાણી તમારા શરીર પર બે અઠવાડિયામાં અસર બતાવવાનું શરૂ કરશે.
મીઠું-ખાંડનું સેવન ઓછું કરો
ખાંડની બનેલી વસ્તુઓ ખાવાથી સ્થૂળતા વધે છે અને મીઠામાં સોડિયમ પણ હોય છે, જે સ્થૂળતાનું કારણ બની શકે છે. ઘણા અભ્યાસ અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ખાંડયુક્ત ખોરાક ઉપરાંત વધુ પડતા મીઠાનું સેવન પણ સ્થૂળતાનું કારણ બને છે. આથી ચા અને કૉફી પ્રમાણમાં જ પીવો. તેમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે. તેમજ પેક્ડ ફૂડ્સ જેવા કે વેફર્સ, નમકીન આવી તમામ બહારની વસ્તુઓ ખાવાનું ટાળો કારણ કે તેમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે.
ઝડપથી ખાવાની આદત છોડો
ઠંડીના મોસમમાં ખાવાની વધારે ઇચ્છા થાય. પરંતુ દર વખતે એવુ જરુરી નથી હોતુ કે ભૂખ લાગે ત્યારે જમી જ લેવું. ઘણીવાર શરીરમાં પાણીની ઉણપ સર્જાય ત્યારે આપણને ભૂખ લાગી હોય તેવું ફીલ થાય છે. ત્યારે આવા સમયે ફાસ્ટફૂડ કે હાથમાં જે પણ આવે તે ખાઇ લેવાની ટેવ ટાળો. જે પણ ખાઓ તેને બરાબર ચાવીને ખાઓ.
ફાઈબરથી ભરપૂર આહાર લો
ખોરાકમાં રહેલા ફાઈબર તમારી પાચનક્રિયાને યોગ્ય રાખે છે, જેના કારણે શરીર સ્થૂળ થતુ નથી તેમજ એસીડિટી પણ થતી નથી. તેથી આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો જેમાં વધારે ફાઇબર હોય. મેંદો તેમજ અન્ય લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી બચો કારણ કે લોટ ઝીણો હોવાથી તેનું પાચન જલદી થતુ નથી પરિણામે કોન્સ્ટીપેશન જેવી સમસ્યા ઉભી થાયછે. કાકડી, ટામેટા, કોબી સહિત રેસા વાળા ફળો ખાવાનો આગ્રહ રાખો.