90% કેસમાં બાળકોને વગર લક્ષણે કોરોના સંક્રમિત થાય છે. 5 ટકા મધ્યમ અને 1-2 ટકા બાળકોને નિમોનિયા થવાની આશંકા છે.
કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક
કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે ટાસ્ક ફોર્સે ત્રણ શ્રેણી નક્કી કરી છે
ઓછા, મધ્યમ અને તીવ્ર સ્વરૂપના કોરોના લક્ષણની કઈ રીતે કરવી જોઈએ.
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા નિષ્ણાંતોએ જણાવી છે. તેને જોતા રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં બાળ રોગ નિષ્ણાંતોએ માર્ગદર્શન અને ચર્ચા સત્રનું આયોજન કર્યું હતું. આ ચર્ચા સત્ર વખતે બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે ત્રણ મૂળ મંત્ર આપવામાં આવ્યા છે.
કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક જણાવવામાં આવી રહી છે. આ તૈયારી રાજ્યએ પહેલાથી જ શરૂ કરી દીધી છે. બાળકોને કોવિડ ટાસ્ક ફોર્સના ગઠન અને તેમના દ્વારા આપવામાં આવેલા સૂચનોને રાજ્ય સરકાર અમલમાં લાવી રહી છે. રવિવારે મુખ્યમંત્રીની હાજરીમાં બાળરોગ નિષ્ણાંતોને કોવિડ ટાસ્ક ફોર્સના ડોક્ટરોએ માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે માર્ગદર્શનમાં જણાવ્યું કે ઓછા, મધ્યમ અને તીવ્ર સ્વરૂપના કોરોના લક્ષણની ઓળખ કઈ રીતે કરવામાં આવે. તેની સાથે કો-મોર્બિડ બાળકોની સારવાર, કોવિડ સંક્રમિત બાળકોનું ધ્યાન રાખતા તેમના માતા-પિતાને શું કહેવું છે, બળકોનું 6 મિનિટ સુધી વોક ટેસ્ટ, હોમ આઈસોલેશનમાં બાળકની સારવારના પ્રોટોકોલથી પણ ડોક્ટરોને અવગત કરાવવામાં આવ્યા.
ડોક્ટરે જણાવ્યું કે મોટાભાગના મામલાઓમાં એક અઠવાડિયાના સમયમાં સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થયાની સાથે એક માત્ર લક્ષણ તાવ હોઈ શકે છે. બીજું કે કોવિડ સંક્રમિત માતાથી બાળકને સંક્રમણ થવાનો ખૂબ ખતરો છે. 90 ટકા મામલામાં બાળકો લક્ષણ વગર કોરોના પોઝિટીવ થઈ જાય છે. 5 ટકા મધ્યમ અને 1-2 ટકા બાળકોને નિમોનિયા થવાની સંભાવના છે.
સામાન્ય લક્ષણ વાળા બાળકો માટે હોમ આઈસોલેશન
પ્રભુએ કહ્યું કે કોરોનાના વગર લક્ષણ અને સામાન્ય લક્ષણ વાળા બાળકોની સારવાર હોમ આઈસોલેશનમાં થઈ શકે છે. જ્યારે મધ્યમ લક્ષણ વાળા બાળકોની સારવાર પીડિપાટ્રિક કોવિડ હોસ્પિટલ અને તીવ્ર લક્ષણ વાળા બાળકોની સારવાર પીડિયાટ્રિક આઈસીયુ અથવા ઉચ્ચ નિર્ભરતા યુનિટ એટલે કે એચડીયુ યુનિટમાં થઈ શકે છે.
તેમણે જણાવ્યું કે ફીવર ક્લીનિકમાં ટેલીકમ્યુનિકેશન દ્વારા હોમ આઈસોલેશન બાળકોની દેખરેખ સરળતાથી થઈ શકે છે. ટાસ્ક ફોર્સના એક અન્ય સદસ્ય વિજય યેવલેએ કહ્યું કે માતા-પિતાએ પોતાના બાળકોને તાવ આવતા જ ડોક્ટર પાસે લઈ જવા જોઈએ.
બચાવ માટે મુખ્ય સુચનો
હોમ આઈસોલેશનમાં બાળકોને 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરો
હોમ આઈસોલેશન કર્યા પહેલા ધરની વ્યવસ્થા જોઈ લો જેવી કે ટોઈલેટ બાથરૂમ વગેરે
હોમ આઈસોલેશનમાં બાળકોના સ્વાસ્થ્યની મોનિટરિંગ માટે આંગણવાડી સેવિકાઓની મદદ લો
બાળક કોવિડ સંક્રમિત છે કે નહિં તેની સંપૂર્ણ તપાસ કરી લો. ટેસ્ટિંગ કરાવો, સીટી સ્કેન માટે તરત ન મોકલો
તપાસ સમયે હોમ હિસ્ટ્રી જરૂર લો જેવું કો કોઈ કોરોના સંક્રમિત, બાળકોને પહેલા પણ ક્યારેય તાવ આવ્યો છે, બાળકની દિનચર્યા, તાવ ઉતરવા પર બાળક કેટલી અશક્તિ અનુભવે છે વગેરે
હોમ આઈસોલેશન વખતે સમય સમય પર બાળકના શરીરનું તાપમાન, ઓક્સિજન લેવલ, પ્લસ રેટ, યુરિન આઉટ પુટ વગેરેની જાણકારી રાખો
આ ક્લિનિકલ ચાર્ટની જાણકારી રોજ ફોન પર ડોક્ટરને આપો.
કોરોના સંક્રમિત બાળકોના સંપર્કમાં ઘરના વૃદ્ધો ન આવે