ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર એટલે કે ઓસીડીમાં વ્યક્તિને અનુચિત વિચાર આવવા લાગે છે. ડરની આશંકા ખુબ વધી જાય છે. આ એક પ્રકારનો મનોરોગ છે. કોરોના વાઇરસના કારણે તેના દર્દીની સંખ્યા ઝડપથી વધવા લાગી છે.
કોરોનાને કારણે લોકોમાં વધી રહ્યો છે ભય
લોકડાઉનને કારણે લોકો થઈ રહ્યાં મનોરોગના શિકાર
ઝડપથી આ સમસ્યા વધી રહી છે
શું છે તેના સંભવિત લક્ષણો
જરુર કરતા વધુ સમય હાથ ધોવા, ઘરને વારંવાર ડિસઇંફેક્ટિવ કરવુ, બહારની વ્યક્તિને ઘરમાં ન આવવા દેવી, વારંવાર દરવાજો અને બારીને ધોવી, વધુ સમય સફાઇને આપવો. ખોટી સલાહનો અમલ કરવો અને પરિવારજનો પર પણ થોપી બેસાડવુ, સંક્રમણનો ખતરો ન હોય તો પણ તેને અનુભવવો.
શું ન કરવુ
એવુ જરુરી નથી કે તમને કોરોના વાઇરસ વિશે બધી જાણ હોવી જ જોઇએ. નથી તે જ સારુ છે અને બધુ જાણવાની કોશિશ પણ ન કરો. વારંવાર ન્યુઝ ન જુઓ અને વારંવાર અપડેટ પણ ન લો. સરકારની ગાઇડલાઇનની અવગણના ન કરો. જો બાળક પીડિત હોય તો તેને લડો નહીં, પ્રેમથી સમજાવો.
આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો
દિનચર્યા નિયમિત રાખો
રોજ યોગ અને વ્યાયામ કરો
હળવુ અને પૌષ્ટિક ભોજન કરો
ભરપુર માત્રામાં લિકવિડ ડાયેટ લો
સમય પર સુવો અને સમસયસર ઉઠો
જો કોઇ સમસ્યા હોય તો પરિવારજનો, મિત્રો, ડોક્ટરને જણાવો.
પ્રેરક, સારી અને ખુશ રાખતી વાતો સાંભળો
જેની પર આપણુ કોઇ નિયંત્રણ નથી તેવી બાબતો પર ફોકસ ન કરો
કોરોના વાઇરસ અસ્થાઇ સમસ્યા છે, પરેશાન ન થાવ
જો તણાવ જેવું લાગતું હોય તો ડાયેટમાં આ વસ્તુઓ સામેલ કરો
તણાવ દુર કરવા માટે વ્યાયામની સાથે સાથે ડાયેટ પણ જરુરી છે. ઓટમીલમાં કાર્બોહાઇડ્રેડ વધુ હોય છે. તે ખાવાથી સારો મુડ બનાવનાર સેરોટિન હોર્મોન બને છે. અખરોટ, બદામ, પિસ્તામાં સિલેનિયમ વધુ હોય છે તેનાથી બેચેની, વધુ ઉત્સુકતા અને થાક દુર થાય છે. પાલકમાં મેગ્નેશિયમ વધુ હોય છે, જે મગજની કોશિકાઓને નિયંત્રિત કરે છે, તેનાથી બેચેની થતી નથી. દુધ પીવો. તેમાં ટ્રિપ્ટોફેન હોય છે જે શરીરમાં સિરોટોનિનના સ્તરને વધારે છે. તેનાથી મગજ શાંત રાખવામાં સહાયતા મળે છે.