લોકડાઉનને લઈને દેશમાં સ્થિતિ વણસી રહી છે. સરકાર અને વહીવટી તંત્ર પોતાના તરફથી તમામ પ્રયાસ કરી રહી છે. દેશમા 14 એપ્રિલ સુધી લોકડાઉન છે ત્યારે સવાલ એ છે કે ઘરમા રહીને કરીએ શું. એક સમય હતો કે જયારે ઘરે રહીને સમય પસાર કરવો એ ભારતના વડીલોની પરંપરાગત તાસિર હતી. હાલ પણ એવી જ સ્થિતિ આવી છે કે જાણે દેશ 80 કે 90ના દશકમા પહોંચી ગયો હોય. ફાસ્ટ યુગમાં કોરોના મહામારીને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં કરવું તો શું કરવુ. આ જ વિષય પર છે આજનું મહામંથન