FOLLOW US
ભગવાન શ્રીકૃષ્ણનું બાલસ્વરૂપની મુર્તિ દરેકના દરેક ઘરમાં હોય છે. આ બાલસ્વરૂપનું પુજન રોજ કરતા પરિવારે કેટલીક બાબતનું ધ્યાન રાખે તો તે ભક્ત પર ઠાકોરજીની કૃપા કાયમ રહે છે. વામન પુરાણ મુજબ આ બાબતનું ધ્યાન રાખે તો ભગવાન કૃષ્ણની વિશેષ કૃપા થાય છે. - हविषा पद्मनाभस्य स्नानमेव समाचरेत्। होमे तदेव सदिंत दाने शक्तिर्निजा द्विज।। पूजयेताथ कुसुमै: पादादारम्भ केशवम्। धूपयेद् विविधं धूपंयेन स्याद् वत्सयं परम्।। हिरण्यरत्वासोभि: पूजयेत जगदगुरु। रागखाण्यवचोष्याणि हविष्याणि निवेदयेत्।। तत: संपूज्य देवेशं पद्मनाभं जगदगुरुम्। विज्ञापयेन्मुनिश्रेष्ठ मन्त्रेणानेन सुव्रत।। - ઉપરના મંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું. - ઠાકોરજીને સુંદર વસ્ત્રો રત્નો અને આભુષણોથી શ્રૃગાંર કરવો. - ઠાકોરજીના પગથી શરૂ કરી તેમના માથાં સુધી ફુલો ચડાવવા. - ભગવાનને ભોગ ધરાવી દિવો પ્રગટાવવો. - કૃષ્ણ પુજામાં ઘીનો જ દિવો પ્રગટાવવામાં આવે તે વધુ શુભકારી માનવામાં આવે છે. -કૃષ્ણ પુજા બાદ ઘીનું દાન કરવાનું પણ વિશેષ છે. - ભગવાનની પુજા કરતી વખતે વિવિધ પ્રકારના ધુપ પણ કરવો જોઇએ.