ATMમાંથી તમે ફક્ત પૈસા જ કાઢી શકતા નથી પરંતુ જમા પણ કરાવી શકો છો. ATM લગાવી કમાણી કરવી ખૂબ જ સરળ છે. તમે ઘર બેઠાં-બેઠાં આરામથી લાખોની આવક ઉભી કરી શકો છો. જેના માટે માર્કેટ સાથે જોડાયેલા વિસ્તારમાં તમારી દુકાન ઑફિસ અથવા ઘર હોવુ જોઈએ. અમે તમને જણાવીએ છીએ કે તમે કેવીરીતે ATM લગાવી શકો છો. તાજેતરમાં એક મોટી કંપની વકરાંગી લિમિટેડે નવા 500 એટીએમનો ફ્રેશ ઓર્ડર એનસીઆર ઈન્ડિયાને આપ્યો છે જે ATM બનાવાર કંપની છે. તો કેટલીક અન્ય કંપનીઓની વેબસાઈટ પર પણ ATM લગાવવા માટે અરજી આવી છે.
વ્હાઈટ લેવલ ATMની ફ્રેન્ચાઈઝી લઈને તમે ATMની સર્વિસ ચાલુ કરાવી શકો છો. વ્હાઈટ લેવલ એટીએમ સર્વિસ આપનારી કંપની છે. આ કંપની શહેરો અને નાના વિસ્તારોમાં એટીએમ સર્વિસ ચાલુ કરવાની ફ્રેન્ચાઈઝી આપે છે. જાહેર અને ખાનગી ક્ષેત્રોની બેંકો સિવાય ઈન્ડિકેશ મુત્થુટ અને ઈન્ડિયા વન જેવી કંપનીઓ વ્હાઈટ લેવલ એટીએમ સર્વિસ પૂરી પાડે છે. એટીએમથી આવક દરરોજના વ્યવહાર પર નિર્ભર કરે છે. ધારોકે 50 ટ્રાન્ઝેક્શન થવાના છે તો માસિક આવક લગભગ 19 500 રૂપિયા થઈ શકે છે. તો દરરોજ 300 ટ્રાન્ઝેક્શન થવાથી 1.17 લાખ રૂપિયા માસિક આવક થાય છે.
ATM લગાવવા માટે સૌથી પહેલા ATM ઇન્સ્ટૉલ કરનારી કંપનીની સિક્યોરિટી ડિપોઝિટના રૂપમાં 2-3લાખ રૂપિયા આપવા પડે છે. જોકે કોન્ટ્રાક્ટ સમાપ્ત થાય તો આ રકમ તમને પાછી મળે છે.
આ છે ATM લગાવવાના નિયમ અને શરતો:
ATM લગાવવા માટે 50-100 સ્ક્વૉર ફૂટની જગ્યા હોવી જોઇએ. સ્પેસ ગ્રાઉન્ડ ફ્લોર અને ગુડ વિઝિબિલિટીવાળી હોવી જોઈએ. ATM ઈન્સ્ટૉલ કરાવવા માટે તમારે સિક્યોરિટી ડિપૉઝીટ કરવી પડશે. સિક્યોરિટીની ગોઠવણ તમારે કરવી પડશે. ATM માટે ઈન્ડિયા વન ATMની વેબસાઈટ પર ઑનલાઈન એપ્લાઈ કરી શકો છો.
દેશની મોટી એનબીએફસી (નૉન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની) મુથૂટ વ્હાઈટ લેવલ એટીએમ લગાવવા માટે તક આપી રહીં છે. જેમાં વિઝા રૂપે અને માસ્ટર કાર્ડ ત્રણ પ્રકારના ATM કાર્ડનો ઉપયોગ થઈ શકે છે. તો India 1 નામની કંપની પણ એટીએમ ઈન્સ્ટૉલ લગાવવાની તક આપી રહી છે. હાલમાં કંપની વકરાંગીએ પણ 500 નવા ATM લગાવવાનો ઓર્ડર આપ્યો છે. કંપનીને કુલ 15000 ATM લગાવવા માટે RBI પાસેથી લાયસન્સ મળ્યું હતું. વકરાંગીનું ધ્યાન અર્ધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ATMની સંખ્યામાં વધારો કરવા પર છે. રિઝર્વ બેંક વ્હાઈટ લેબલ ATM લગાવવા માટે વકરાંગી લિમિટેડને પણ અધિકૃત કરી ચૂકી છે.