સ્વસ્તિકને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ સૂર્ય પુરાણમાં તેને સૂર્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેને કોઈ પણ પૂજા પહેલા બનાવવામાં આવે છે.
સ્વસ્તિકને માનવામાં આવે છે ગણેશજીનું પ્રતીક
પૂજા પહેલા સ્વસ્તિક બનાવવાનું મહત્વ
જાણો તેનું મહત્વ
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 22 અને 23 ઓક્ટોબર 2022ના બે દિવસ માટે ઉજવવામાં આવશે. આ દિવસે નવી વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી ખરીદેલી વસ્તુઓમાં 13 ગણી વૃદ્ધિ કરે છે. પૂજામાં સ્વસ્તિકનું પણ ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે.
શુભ ફળ આપે છે સ્વસ્તિક
દિવાળી અને ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાનું ઘણું મહત્વ છે. કોઈપણ પૂજામાં સ્વસ્તિક બનાવવું પણ ફરજિયાત છે. કારણ કે તે શુભ મંગળની નિશાની છે. કોઈપણ કાર્યના શુભ અને સફળ બનવાની ઈચ્છા સાથે સ્વસ્તિક બનાવવામાં આવે છે.
પૂજા કરતી વખતે સ્વસ્તિક બનાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. ઘણીવાર લોકો પૂજા સ્થાનમાં, ઘરની દિવાલો પર, પુસ્તર, વહીખાતામાં અને હિસાબમાં સ્વસ્તિક બનાવીને મંગળની કામના કરે છે. પરંતુ સ્વસ્તિક કેવી રીતે બનાવવું અને તે પણ શુદ્ધ રૂપથી. ચાલો જાણીએ
સ્વસ્તિક બનાવવા માટે શું જોઈએ?
સ્વસ્તિક ત્રણ શબ્દોથી બને છે. સુ, અસ્તિ અને ક. સુનો મતલબ મંગળ, અસ્તિ એટલે થાય અને ક એટલે કે કરનારૂ. એટલે કે મંગળ કરવા વાળુ. સ્વસ્તિક બનાવવા માટે તમારી પાસે એક સાફ કપડુ, ઘસેલુ લાલ ચંદન અને દેસી ઘીમાં બોળેલું કંકુ. ધી ન હોય તો સ્વચ્છ જળનો ઉપયોગ કરો. તેની સાથે જ તમારી પાસે શુદ્ધ ગંગાજળ પણ હોવું જોઈએ. જો ગંગાજળ નથી તો સાફ પાણીનો ઉપયોગ કરો.