ભારતનાં દરેક ઘરમાં સવારની શરૂઆત ચા સાથે જ થાય છે. કેટલાક લોકો તો એક દિવસમાં કેટલાય કપ ચા પી જતા હોય છે, જ્યારે કેટલાક લોકો ચાના બહાને બીજાના ઘરે પણ ચાલ્યા જાય છે.
જામફળના પાનની ચાના ફાયદા
પેરુના પાનની ચાથી થશે ફાયદો
ડાયાબિટીસ મટાડવા માટે પીવો ચા
ચાની માગ દેશમાં સૌથી વધારે છે. લોકો ચા વગર રહી શકતા નથી. ચાના અનેક પ્રકાર છે, જેમાં કેટલાક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે. ખાસ કરીને હર્બલ ટી સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે લાભદાયક થાય છે. આમાં એક પેરુનાં પાંદડાંની ચા છે, જે ડાયાબિટીસના રોગમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેટલાંક રિસર્ચમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે અને તેના સેવનથી બ્લડ શુગર કન્ટ્રોલ થાય છે. ડાયાબિટીસના દર્દીઓ ચોક્કસ પેરુનાં પાંદડાંની ચાનો આનંદ માણી શકે છે તો જાણો કેવી રીતે બને છે. પેરુનાં પાંદડાંની ચા ડાયાબિટીસમાં કેવી રીતે લાભદાયક સાબિત થાય છે.
એક રિસર્ચ પ્રમાણે ટાઇપ-2 ડાયાબિટીસ દર્દીઓ માટે પેરુનાં પાંદડાંની ચા ખૂબ જ ફાયદાકારક છે. જાપાનના લોકોને પેરુનાં પાંદડાંની ચા પીવાની સલાહ આપવામાં આવી છે. આ રિપોર્ટ પછી જાપાનમાં તે દવા તરીકે વાપરવામાં આવે છે. આજે જાપાનનાં બધાં ઘરમાં પેરુનાં પાંદડાંની ચાનું ઉકાળા તરીકે સેવન કરવામાં આવે છે.
કેવી રીતે બનાવવી પેરુનાં પાંદડાંની ચા
આ માટે એક ગ્લાસ પાણીમાં પેરુનાં પાંદડાંને સારી રીતે ઉકાળી લો. ધ્યાનમાં રાખવું કે પેરુનાં પાંદડાંને સારી રીતે ધોઇ વાપરવાં. ત્યાર પછી ચાની જેમ આનું સેવન કરવું. તમે ઇચ્છો તો ગળપણ માટે મધનો ઉપયોગ કરી શકો છો. દિવસ દરમિયાન ફક્ત બે કપ ચાનું સેવન કરવું. વધુ માહિતી માટે ડૉક્ટરની સલાહ જરૂર લેવી.