એલોવેરા જ્યુસ પીવું એ હેલ્થને માટે સારું માનવામાં આવે છે. ઈમ્યુનિટી વધારવાની સાથે કમર દર્દમાં પણ આ જ્યુસ ફાયદાકારક છે. જાણો બનાવવાની રીત.
એલોવેરા જ્યુસ પીવું એ હેલ્થને માટે સારું માનવામાં આવે છે. ઈમ્યુનિટી વધારવાની સાથે કમર દર્દમાં પણ આ જ્યુસ ફાયદાકારક છે. જાણો બનાવવાની રીત.
ઘરે જ બનાવો ફ્રેશ અલોવેરા જ્યુસ
જાણો બનાવવાની સરળ રીત
ઈમ્યુનિટી વધારવાની સાથે કમર દર્દ પણ કરશે દૂર
ભારતમાં અલોવેરાને ગ્વારપાઠા અને ધૃતકુમારીના નામે પણ ઓળખવામાં આવે છે. આ એક કાંટાદાર પાનનો છોડ છે. તેમાં રોગનિવારણ ગુણ એટલા છે કે તેની વાત જ શક્ય નથી. એક્સપર્ટના અનુસાર આ જ્યૂસ હેલ્થ માટે લાભદાયી છે. ઈમ્યુનિટી વધારવા અને કમર દર્દને દૂર કરવામાં તે મદદરૂપ બને છે. આ રીતે કરો જ્યૂસ તૈયાર.
એલોવેરા જ્યૂસ બનાવવાની સામગ્રી
1 એલોવેરાનું પાન
1 કપ પાણી
ખાંડ સ્વાદ અનુસાર
લીંબુનો રસ 1 ચમચી
બનાવવાની રીત
એલોવેરા જ્યૂસ બનાવવા માટે સૌથી પહેલા અલોવેરાના પાનને સારી રીતે ધોઈને સાફ કરીને લૂસી લો.
હવે કાતરની મદદથી બહારના પડને કાપો.
પાનના બહારના લેટરને કાપ્યા બાદ તેની જેલને કાઢી લો.
હવે તેમાં 1 ગ્લાસ પાણી મિક્સ કરો અને મિક્સ કરી લો.
તેમાં લીંબુનો રસ અને ખાંડ સ્વાદ અનુસાર મિક્સ કરો.
તૈયાર છે તમારો અલોવેરા જ્યૂસ.
નોંધ
તમે અહીં પાણીને બદલે ફ્રૂય જ્યૂસ પણ ઉપયોગમાં લઈ શકો છો.
જ્યૂસને તૈયાર કર્યા બાદ ફ્રેશ જ પીઓ.
તમે પાનથી કાઢેલી જેલને સ્ટોર કરીને ફ્રિઝમાં પણ રાખી શકો છો.