જનધન બેન્ક ખાતાધારકોને સરકાર ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જનધન ખાતુ ઝીરો બેલેન્સ બચત ખાતું હોય છે. તે ઉપરાંત તેમાં ઓવરડ્રાફ્ટ અને રૂપે કાર્ડ સહિત ઘણી ખાસ સુવિધાઓ મળે છે.
જનધન ખાતું હોય તો વાંચી લેજો
જરૂર પતાવી લેજો આટલું કામ
નહીં તો થશે મોટુ નુકસાન
જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેન્ક ખાતાની સંખ્યા જાન્યુઆરી 2022 સુધી 44.23 કરોડ પર પહોંચી ચુકી હતી. આ આંકડાથી જન ધન ખાતાની લોકપ્રિયતાની જાણકારી મળે છે. આ ખાતામાં જમા રકમ પણ જાન્યુઆરીમાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધારે હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જનધન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી.
નાણામંત્રાલયના આંકડા અનુસાર, કુલ 44.23 કરોડ જન ધન ખાતામાંથી 34.9 કરડો ખાતા સાર્વજનિક ક્ષેત્રની બેન્કોમાં 8.05 કરોડ ખાતા ક્ષેત્રીય ગ્રામીણ બેન્કોમાં ખોલવામાં આવ્યા હતા. 1.28 કરોડ ખાતા ખાનગી ક્ષેત્રની બેન્કોમાં ખોલવામાં આવ્યા હતા. 1.28 કરોડ ખાતા ખાનગી ક્ષેત્રની બેન્કોમાં ખોલવામાં આવ્યા છે.
જનધન ખાતા ધારકોને બીજી ઘણી સુવિધાઓ છે ઉપલબ્ધ
જનધન બેન્ક ખાતાધારકોને સરકાર ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જનધન ખાતા જીરો બેલેન્સ બચત ખાતા હોય છે. તે આ ઉપરાંત તેમાં ઓવરડ્રાફ્ટ અને રૂપે કાર્ડ સહિત ઘણી ખાસ સુવિધાઓ મળે છે. તેમાં વીમા કવર સૌથી મહત્વપૂર્ણ છે. જનધન ખાતાને ખાતાધારકે પોતાના આધાર કાર્ડથી લિંક કરવું ખૂબ જરૂરી છે. આમ ન કરવા પર ઘણી સુવિધાઓને રોકી લેવામાં આવે છે.
1 લાખ સુધીનો વીમો પણ ઉપલબ્ધ
જનધન ખાતાધારકને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. જેમાં 1 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમા કવર ઉપલબ્ધ કરવામાં આવે છે. જો કોઈ ખાતાધારક એકાઉન્ટને આધારથી લિંક નહીં કરે તો તે આ વીમા કવરથી વંચિત રહી જશે. આજ નહીં જનધન એકાઉન્ટ પર ખાતાધારકને 30,000 રૂપિયાના એક્સીડેન્ટલ ડેથ ઈન્શ્યોરન્સ કવર પણ આપવામાં આવે છે.
એ પણ જનધન ખાતાના આધારથી લિંક થવા પર જ મળે છે. ખાતાધારકને જનરલ ઈન્શ્યોરન્સ કવર પણ મળે છે. પરંતુ આ દરેક સુવિધાઓનો ફાયદો ઉઠાવવા માટે જનધન ખાતા આધારથી લિંક થવા જરૂરી છે.
આ રીતે કરો લિંક
જનધન ખાતાને આધારથી લિંક કરાવવા માટે જે બેન્કમાં આ ખાતુ છે તે બેન્કમાં જાઓ.
પોતાના આધાર કાર્ડની ફોટો કોપી અને બેન્ક પાસબુકની કોપી સાથે લઈ જવાની રહેશે
બેન્કમાં એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર બાદ તમારા જનધન ખાતાને આધાર સાથે લિંક કરી દેવામાં આવશે.
SBI સહિત ઘણી બેન્ક ગ્રાહકોને ફક્ત SMS દ્વારા પણ જનધન ખાતાને આધારથી લિંક કરવાની સુવિધા આપવામાં આવે છે.
તેના માટે રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી મેસેજમાં UID<SPACE> આધાર નંબર <SPACE> એકાઉન્ટ નંબર લખીને 567676 નંબર પર મોકલી દો.