બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે કેટલાક બાળકો આ પરીક્ષાને લઇને લઇ ઘણાં ચિંતામાં જોવા મળે છે.બોર્ડમાં સારા માર્કસ લાવવા બાળકો મહેનત તો કરતા હોય છે પરંતુ ક્યારેક ચિંતાને કારણે બ્લડ પ્રેશર વધી જવાની શક્યતાઓ પણ વધી જાય છે.સતત ચિંતાને કારણે વિદ્યાર્થીઓનું વાંચનમાં મન લાગતું નથી અને તેની ખરાબ અસર સ્વાસ્થ્ય પર પણ પડે છે.
વિદ્યાર્થીઓએ રોજ 8 કલાકનો આરામ ફરજીયાત કરવો જોઇએ.ઊંઘ પુરી ના થઇ શકવાને કારણે બાળકના મગજ પર તેની સીધી અસર થાય છે અને ઘણા કિસ્સામાં બાળકોને વાંચેલ યાદ નથી રહેતું.
શરીરમાં હાર્મોનનું અસંતુલન થવાને કારણે કોલસ્ટ્રોલ થાઇરોઇડ થવાની શક્યતામાં વધારો થાય છે.તો ક્યારેક BP અને હ્રદયના ધબકારામાં વધારો પણ જોવા મળે છે.બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરતા બાળકોએ નીચે આપેલ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
- સૌ પ્રથમ બાળકોએ પુરી ઊંઘ લેવી.
- સવારે હળવો વ્યાયામ અને યોગ કરવા.
- શનિવારે શનિદેવ અને રાહુની પૂજા કરવી
આ કારણોથી પેદા થાય છે તણાવ
- શનિ અને ચંદ્ર બરાબર ના હોય તેમના માટે તણાવની તકલીફ ઉભી થઇ શકે છે.
- પુરતો આરામ અને ઊંઘ ના લેવાથી મગજ સુધી લોહી પુરતા પ્રમાણમાં નહીં પહોંચી શકવાને કારણે તણાવ પેદા થઇ શકે છે.
- ગરદન જૂકાવીને વાંચન કરવાથી પણ તણાવ થાય છે.
-લેપટોપ મોબાઇલ પર માથું જુકાવીને કામ ના કરવું જોઇએ.
- સુતા-સુતા વાંચન ના કરવું
વાંચન સમયે આ કામ ના કરો
- રાત્રે વારંવાર કોફીનું સેવન ના કરો.
- મોડી રાત સુધી જાગીને મોબાઇલ અથવા લેપટોપ ના ચલાવો.