શરીરમાં પૂરતા પ્રમાણમાં લોહી હોવુ જરુરી છે. પરંતુ જો શરીરમાં લોહી જ ઘટવા લાગે તો ખાવા પર ખાસ ધ્યાન આપવુ જોઇએ.
લોહીની ઉણપ દૂર કરવા જરુરી ઉપાય
રક્ત કણો ઓછા થવાથી શરીરમાં આવે છે નબળાઇ
શરીરમાં લોહી ઝડપી કેવી રીતે બનાવશો
આપણા શરીરમાં લોહી પુરતા પ્રમાણમાં હોવું જરુરી છે. જો લોહી ઓછુ હોય તો શરીરમાં અનેક સમસ્યાઓ સર્જાય છે. જેને એનિમીયા કહેવામાં આવે છે. શરીર ફીકુ પડી જવુ, અશક્તિ લાગવી, ચક્કર આવવા, નાનુ નાનુ કામ કરીને પણ થાકી જવુ. આવી અનેક સમસ્યાઓ સર્જાય છે. ત્યારે શરીરમાં લોહીની ઉણપ કેવી રીતે પુરી કરવી. કેવો ખોરાક લેવાથી શરીરમાં લોહી બને તે વિશે આવો જાણીએ..
શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા શું કરશો ?
આપણા શરીરમાં સફેદ અને લાલ. એમ બે બ્લડ સેલ હોય છે. જ્યારે શરીરમાં રક્ત કણની અછત સર્જાય છે ત્યારે શરીરમાં લોહીની ઉણપ વર્તાય છે. શરીરમાં નવુ લોહી બનવું જરુરી છે. તેમાં પણ સ્ત્રીઓને ખાસ કરીને લોહીની ઉણપ વઘારે સર્જાય છે. ત્યારે આજે આપને જણાવીશું એવા ખોરાક વિશે કે જે ખાવાથી માત્ર 15 દિવસમાં જ લોહીની ઉણપ દૂર થઇ જશે અને શરીરમાં નવુ લોહી બનવાનું શરુ થઇ જશે.
1. દાડમ
દાડમ ખાવાથી શરીરમાં લોહી ખૂબ જ ઝડપથી વધવા લાગે છે.જો તમારા શરીરમાં લોહીની માત્રા ઓછી થઈ રહી હોય તો તમારે દાડમનો રસ પીવાનું શરૂ કરી દેવું જોઈએ. તેની અંદર ઘણા પ્રકારના તત્વો હોય છે જે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે.
2. બીટ
બીટનો રસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. આ સિવાય મગફળીને ગોળમાં ભેળવીને ખાવાથી શરીરમાં આયર્ન પણ મળે છે. તેને સતત ખાવાથી આપણા શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘણી હદ સુધી વધી જાય છે. જો તમે તેને ખીર બનાવીને જ ખાશો તો તે લોહી વધારવાનો પણ રામબાણ ઈલાજ સાબિત થશે. આના કારણે શરીરમાં લોહી 3 ગણું ઝડપથી વધશે.
3.અંજીર
અંજીર એવું જ એક ફળ છે જે શારીરિક નબળાઈ દૂર કરવાની સાથે તે શરીરમાં લોહી પણ વધારે છે. જો તમે તેને રાત્રે પલાળી રાખો અને સવારે ઉઠ્યા બાદ ખાશો તો તમારા શરીરમાં લોહી ખૂબ જ ઝડપથી વધશે.