આપના કાર્યસ્થળનો સીધો સંબંધ શનિ સાથે છ. તે કાર્યસ્થળના લોકો વિશે બતાવે છે. ઉપરાંત કુંડલીના સાતમા અને દશમા ભાવ મહત્વપૂર્ણ છે. એથી તમે જાણી શકો છો કે કાર્યસ્થળનો માહોલ કેવો છે. બુધ પણ મહત્વપૂર્ણ થઇ જાય છે. કેમકે તેની મદદથી વ્યક્તિ પોતાના કાર્યસ્થળ પર એડજસ્ટ થઇ જાય છે. રાહુ અને મંગળ કાર્યસ્થળ પર સમસ્યાઓ પેદા કરે છે. કુંડલીના સપ્તમ ભાવમાં કમજોર થતા સહકાર મળતો નથી.
કેવી રીતે ઓફિસમાં થાય બધુ જ સારું
- નિત્ય સવારે અને સાંજે શનિ મંત્રનો જાપ કરવો
- એક લોંખડનો છલ્લો ધારણ કરવો.
- પોતાના કામ કરવાની જગ્યા પર એક સફેદ માર્બલનો ટુકડો રાખવો.
- આપની સામે હંમેશા રંગબેરંગી ફૂલોના ચિત્રો લગાવો.
સહ કર્મચારીઓ સાથે સમસ્યા હોય ત્યારે
- નિત્ય સવારે સૂર્યને જળ અર્પિત કરવું
- સ્નાન કર્યા બાદ લાઇટ સુંગધ જરૂર લગાવો.
- ઓફિસ જતા સમયે ગોળ જરૂર ખાવો.
- મંગળવારે હનુમાન મંદિર જઇને હનુમાન જીના દર્શન જરૂર કરવા.
- કામના સ્થળે એક લાલ રંગનું ફૂલ જરૂર રાખવું.
કામની નથી થતી પ્રશંસા
- રોજ સવારે સૂર્યને જળ અર્પિત કરવું.
- એક તાંબાનો છલ્લો ધારણ કરવો
- કામના સ્થળે ઉગતા સૂર્યનું ચિત્ર લગાવવું
- તમારી પેન બીજાને ન આપવી.
એડજસ્ટ કરવામાં સમસ્યા આવી રહી છે
- રોજ સ્નાન કરવું.
- નમ: શિવાયનો જાપ કરવો.
- ચન્દનની સુંગધનો પ્રયોગ જરૂર કરવો.
- એક પેરિડૉટ અથવા મોતી સલાહ લઇને ધારણ કરવું.