નકલી જીરું ખાવાથી પેટની તકલીફો, સ્ટોન, સ્કીન સંબંધી તકલીફો વધે છે. જાણો કઈ ચીજોથી બને છે નકલી જીરુ.
ઘરે જ ચેક કરી લો જાતે જ નકલી જીરુ
નકલી જીરુ કરે છે અનેક મોટા નુકસાન
જાણો કઈ ચીજોથી બને છે નકલી જીરુ
જીરુ ઘરની રસોઈનો એક ખાસ મસાલો છે. આ ખાવાનાનો સ્વાદ વધે છે અને સાથે જ તેમાં એન્ટી ઓક્સીડન્ટ, ફાઈબર, આયર્ન, કોપર, પોટેશિયમ, મેગેનીઝ, કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ જેવા વિટામીન્સ મળે છે. આજકાલ બજારમાં નકલી જીરુ મળી રહ્યું છે. દેખાવમાં તે એકદમ અસલી જીરા જેવું હોય છે. એવામાં લોકો તેનામાં ફરક જોઈ શકતા નથી. તમે તેને ઘરે લાવીને ઓળખી શકો છો. માનવામાં આવે છે કે નકલી જીરું નદી કિનારે ઉગનારા જંગલી ઘાંસથી બને છે જેનાથી સાવરણી બને છે. આ જીરું શરીરને અનેક મુશ્કેલીઓ આપી શકે છે.
આ રીતે બને છે નકલી જીરુ
જીરુ બનાવવા માટે ગોળના શીરાનો ઉપયોગ કરાય છે. જે ઘાસથી સાવરણી બને છે તે ઘાસને પહેલા પાણીમાં ઉકાળવામાં આવે છે. તેના પછી તેને શીરામાં ચઢવવામાં આવે છે અને સૂકવવામાં આવે છે. ઘાસના રંગ જીરા જેવો થાય ત્યારે પત્થરના બનેલા પાવડરમાં મિક્સ કરી લેવાય છે. ત્યારબાદ તેને ચારણીથી ચાળી લેવામાં આવે છે અને પછી તેમાં સ્લરી પાઉડર મિક્સ કરાય છે. તેથી તેનો રંગ જીરા જેવો જ દેખાય છે.
નકલી જીરાથી થાય છે આવી તકલીફો
નકલી જીરું ખાવાથી પેટની મુશ્કેલીઓ રહે છે. તેનાથી પેટમાં દર્દ અને સ્ટોનની સમસ્યા થાય છે. તેના સેવનથી ત્વચા સંબંધી ખતરો પણ રહે છે. તો આ પ્રકારના જીરાના સેવનથી ઈમ્યૂનિટી નબળી પડે છે.
આ રીતે કરો ઓળખ
તેની ઓળક કરવાનું મુશ્કેલ કામ નથી, આ માટે એક વાટકીમાં પાણી લો અને તેમાં જીરું નાંખીને રહેવા દો. જો જીરું રંગ છોડવા લાગે કે તૂટી જાય તો સમજો કે આ નકલી જીરુ છે. આ સિવાય નકલી જીરામાં કોઈ પણ પ્રકારની સુગંધ હોતી નથી.