હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ તથા 60 વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિઓને 10 જાન્યુઆરીએથી લગાવાશે બુસ્ટર ડોઝ
10જાન્યુઆરીથી અપાશે બુસ્ટર ડોઝ
રસી માટે લેવી પડશે એપોઇન્ટમેન્ટ
અગાઉ જે રસીનો ડોઝ લીધો હશે તેજ રસી અપાશે
દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના કાળમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના ફરજ નિભાવતા હેલ્થકેર વર્કર્સ તથા ફ્રન્ટલાઇન વર્કર્સ માટે ત્રીજો વેક્સિનનો ડોઝ આપવાનું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે. તેમજ 60થી વધુ વય ધરાવનાર લોકોને પણ ત્રીજો ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ રસીકરણની કામગીરી 10 જાન્યુઆરીએથી શરુ થશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે કોવિડ -19 રસીનો પ્રિકોશન ડોઝ મેળવવા માટે ફરીથી નોંધણી કરાવવાની જરૂર નથી. આ ડોઝ 10 જાન્યુઆરીથી અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધોને આપવામાં આવશે. જેમણે અગાઉ રસીના બંને ડોઝ મેળવ્યા છે, તેઓ આ ડોઝ લેવા માટે સીધી મુલાકાત લઈ શકે છે અથવા રસીકરણ કેન્દ્ર પર જઈ શકે છે.
રસી લેવા લેવી પડશે એપોઇન્ટમેન્ટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે 'આ ડોઝ માટેનું શેડ્યૂલ 8 જાન્યુઆરીએ પ્રકાશિત કરવામાં આવશે. ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા પણ શરૂ થઈ ગઈ છે.આ ઉપરાંત તમે રસીકરણ કેન્દ્રએ જઇને પણ એપોઇન્ટમેન્ટ લઇ શકો છે. અપોઇન્ટમેન્ટ લીધા બાદ તમે 10 જાન્યુઆરીથી રસી મેળવી શકો છો.
બુસ્ટર ડોઝ રસી કેવી હશે ?
કેન્દ્ર સરકારે જણાવ્યુ હતું કે COVID-19 માટે બુસ્ટર ડોઝની જે રસી હશે તે અગાઉ લીધેલી રસી જેવી જ હશે. જે લોકોએ જે રસીના બંને ડોઝ લીધા હશે તેમને એજ આ રસી આપવામાં આવશે. બુસ્ટર ડોઝ રસીની માત્રા અગાઉ લીધેલી રસીની માત્રા જેટલી હશે.બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આયોગના ડૉ. વીકે પૉલે કહ્યું હતું કે, 'COVID-19 રસીનો પ્રિકોશન ડોઝ એ જ રસી હશે જે અગાઉ આપવામાં આવી હતી. જેમણે કોવેક્સિન મેળવ્યું હતું તેઓને કોવેક્સિન આપવામાં આવશે, જેમણે કોવાશિલ્ડના પ્રથમ બે ડોઝ લગાવ્યા હતા તેમને જ કોવશિલ્ડ આપવામાં આવશે.