આ વખતે હોળી પર 108 વર્ષે એક એવો યોગ બની રહ્યો છે. જેનો અચૂક ઉપાય તમારુ જીવન બદલી નાખશે. જો તમારો ધંધો ઠંડો ચાલતો હોય, ક્યાંય બહાર હરવા-ફરવાનું મન ન થતું હોય, બાળકોનું ધ્યાન અભ્યાસમાં ન લાગતુ હોય, પરીક્ષામાં તેમના માર્ક્સ ઓછા આવતા હોય, માથાનો દુખાવો થતો હોય, ખાવા-પીવામાં મન ન લાગતુ હોય, રાત્રે ઉંઘ ઉડી જતી હોય, આંખનો દુખાવો હોય તો હોળીના દિવસે કરેલો આ અચૂક ઉપાય તમારી બધી સમસ્યાઓ ઉકેલ છે.
હોળીની આ ઉપાય આ બધી જ સમસ્યાનો રામબાણ ઇલાજ છે. ઇલાજ છે એ હોળીના સાંજે જ્યારે હોલિકા દહન થઇ રહ્યુ હોય તો પહેલા હોલિકાની વિધિવત્ પૂજા કરો. પછી પોતાના મોબાઇલને માથા પરથી સાત વાર ફેરવો અને તેને હોળીની આગમાં ફેંકી દો. પાછા ફરીને બિલકુલ ન જોતા.
આ ઉપાયથી તમને એક-બે દિવસ તકલીફ થશે, મન બેચેન રહેશે, ગુસ્સો પણ આવશે પરંતુ થોડા જ દિવસમાં બધી જ બિમારીઓથી મુક્તિ મળી જશે. આ ઉપાય તમારી લાઈફ બદલી દેશે. અજમાવી જુઓ.