નસકોરા લેતા લોકોને તો તમે જોયા જ હશે. જ્યારે પણ આવા લોકોને જુઓ ત્યારે મોટાભાગના લોકો ચિડાઇ જતા હોય છે પરંતુ નસકોરાથી ગંભીર બિમારીઓ પણ થઇ શકે છે.
નસકોરા લેવાની તકલીફ છે ?
સૂતી વખતે રાખો ધ્યાન
કેટલાક ઘરેલૂ ઉપાયથી નસકોરાની તકલીફ થશે દૂર
સુતી વખતે જ્યારે શ્વાસ લઇએ છીએ ત્યારે ટીશૂમાં કંપન થાય છે અને સૂતી વખતે જ્યારે શ્વાસ લઇએ ત્યારે જે અવાજ નીકળે છે તેને નસકોરા કહેવામાં આવે છે. 25 ટકા લોકો નિયમિત રૂપે નસકોરા લેતા હોય છે.
આ બીમારીઓના કારણે નસકોરા લેતા હોય છે લોકો સ્લીપ એપ્નિયા
અમેરિકાના sleepfoundation.orgની જો માનવામાં આવે તો આ શ્વાસ અને ઉંઘ સાથે જોડાયેલી કોમન બીમારી છે જે સામાન્ય રીતે ડાયગ્નોઝ નથી થઇ શકતી. આ બિમારીમાં ખાસ કરીને શ્વાસનળી ઉંઘના કારણે આંશિક રૂપથી બંધ થઇ જાય છે જેના લીધે લોકો નસકોરા લેતા હોય છે.
દારૂ સિગરેટનુ સેવન
જે લોકો દારૂ કે સિગરેટ પીવાના આદતી હોય છે તે લોકો ખાસકરીને નસકોરા લેતા હોય છે. વાયુમાર્ગની આસપાસ રહેલા ટીશૂઝને આલ્કોહોલ રિલીઝ કરી દે છે. જેના કારણે વ્યક્તિ નસકોરા લે છે.
નાક બંધ હોવુ
જો કોઇ પ્રકારની એલર્જી, ઇંફેક્શન કે કોમન કોલ્ડના કારણે નાક બંધ થઇ જાય તો નાક ભારે થઇ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. જેના કારણે ઉંઘમાં વ્યક્તિ તેજ નસકોરા બોલાવતો હોય છે.
મેદસ્વિતા
જો મેદસ્વિતાથી તમે પીડિત હોય તો ગરદનની આસપાસના હિસ્સામાં એક્સટ્રા ટીશૂઝ હોય તો વાયુમાર્ગની સાઇઝ નાની થઇ જાય છે અને તે સંકોચાઇ જાય છે. જેના કારણે જાડા લોકોને નસકોરા લેવાની આદત હોય છે.
કેવી રીતે દુર કરશો નસકોરા
જો તમે ઓવરવેટ છો કે મેદસ્વિતાના શિકાર છો તો પોતાનુ વજન ઓછુ કરી દો
ચત્તા સુવાની જગ્યાએ પડખુ ફરીને સુવો
જો કોઇ એલર્જીના કારણે નાક બંધ થઇ ગયુ હોય તો તેનો ઇલાજ કરાવો