ચોમાસુ શરૂ થતાંની સાથે જ કાદવ કીચડ સહિત ઘણી સમસ્યાઓ શરૂ થઇ જશે અને ગૃહિણીઓ માટે તો સૌથી મોટી સમસ્યા મચ્છર અને ગરોળીઓની થશે. વંદા રસોડામાં ગંદકી ફેલાવે છે અને મચ્છરોથી ઘણા પ્રકારની બિમારીઓ થઇ શકે છે. જેથી ચોમાસામાં જીવ જંતુથી છૂટકારો મેળવવો જ પડે છે. તમારી હેલ્થ સાચવવા અને જંતુઓથી છૂટકારો મેળવવા માટે અમે તમને કેટલાક ટોડકા જણાવીશું
.ચોમાસામાં થાય છે જંતુની સમસ્યા
જીવ-જંતુ ભગાવવાના ઉપાયો
ગરોળી ભગાવવાના ઉપાય
મોર પંખને ગરોળી ભગાવવા માટે બહુ જ કારગત માનવામા આવે છે. જૂના જમાનામાં લોકો મોર પંખને પોતાના ઘરની દિવાલ પર લટકાવતા હતા. આ ઉપરાંત તમે નેપ્થલીન બોલ્સની મદદથી ગરોળી ભગાવી શકો છો.
ઉંદર ભગાવવા આ કરો
ઉંદર અનેક ગંભીર રોગોનું કારણ બની શકે છે. સાથે જ ઘરમાં કે ખેતરમાં સાપને દાવત આપી શકે છે. આવામાં પિપરમિન્ટ કે ફુદીનાના કેટલાક પાનના તમે ઘરમાં રાખીને ઉંદરને આવવાથી રોકી શકો છો.
વંદાને ભગાવો આ રીતે
કિચનમાં ફરનારા વંદા અનેક બીમારીનું કારણ બની શકે છે. આવામાં તેને ભગાવવા માટે લસણ, ડુંગળી અને કાળા મરીને બરાબર માત્રામાં લો અને તેની દળીને પેસ્ટ બનાવી લો. તેને એક બોટલ પાણીમાં નાંખીને ઘોળી લો. આ મિશ્રણને એવી જગ્યાએ છાંટો જ્યાં વંદા સૌથી વધુ આવતા-જતા હોય.