આજના સમયમાં માથાનો દુખાવો સામાન્ય બાબત બની ચૂકી છે. નાનાં બાળકોથી લઇને મોટા લોકોમાં આ દુખાવો સામાન્ય છે. દરેક વ્યક્તિ કામના બોજ કે અન્ય સમસ્યાઓના કારણે પરેશાન છે.
માથાના દુખાવા માટે નહી લેવી પડે દવા
આ ઘરેલુ નુસખાથી મળશે દુખાવામાં રાહત
ઉંઘ પુરી ન થવાને કારણે દુખે છે માથુ
માથાના દુખાવાનાં ઘણાં કારણ હોઇ શકે છે જેમકે તણાવ, માઇગ્રેન કે પછી ઊંઘ પૂરી ન થવી. આવા સંજોગોમાં લોકો પેઇનકિલરનો સહારો લે છે, પરંતુ ઘણી વાર દવાઓની સાઇડ ઇફેક્ટ્સ પણ થાય છે. તો તેનાથી બચવા તમે ઘરેલુ નૂસખા અપનાવી શકો છો.
સૌથી પહેલાં કારણ જાણો
સામાન્ય રીતે ઊંઘ પૂરી ન થવાને કારણે, દાંતમાં દુખાવો, થાક, ખોટી દવા લેવી, આંખો નબળી પડવી આ કારણો હોઇ શકે છે. આ ઉપરાંત ચિંતા, પેટમાં ગેસ થવો, અનિયમિત જીવનશૈલી, ખાણીપીણીની આદતો પણ માથાનાં દુખાવાનું કારણ છે. માથાના દુખાવાનું કારણ બદલાતી સિઝન પણ હોઇ શકે છે. કેટલાક લોકોને સિઝન બદલાવવાને કારણે પણ માથાના દુખાવાની સમસ્યા થાય છે. જો યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લેવામાં ન આવે તો માથાનો દુખાવો કોઇ મોટી બીમારીનું કારણ પણ બની શકે છે. જેમકે માઇગ્રેન કે બ્રેઇન ટ્યૂમર.
અપનાવો ઘરેલુ નૂસખા
- ઘણી વાર શરીરમાં પાણીની કમીના કારણે પણ માથાનો દુખાવો થાય છે. કોઇ પણ હાલતમાં શરીરમાં પાણી ઘટવા ન દો. દિવસમાં કમસેકમ 8થી9 ગ્લાસ પાણી અચૂક પીવો. સાથે રૂટિનમાં નારિયેળ પાણી અને જ્યૂસ પણ સામેલ કરો.
- માથાનો દુખાવો થતાં આપણે ચા પીવા લાગીએ છીએ. આવા સંજોગોમાં ગ્રીન ટી પીવી સૌથી ફાયદાકારક છે. તેમાં રહેલાં એન્ટીઓક્સિડન્ટ દુખાવાને ઘટાડે છે.
- વિનેગર એક ઔષધિ છે. તેનો ઉપયોગ પેટના દુખાવા કે માથાના દુખાવા માટે કરવામાં આવે છે. ગરમ પાણીમાં એક ચમચી વિનેગર મિક્સ કરો. તેને પીને થોડો સમય સૂઇ જાવ. માથાનો દુખાવો મટી જશે.
- તમે ઇચ્છો તો નેચરલ કાઢો બનાવીને પણ પી શકો છો. તેનાથી માથાનો દુખાવો દૂર થઇ જશે. કાઢો બનાવો ત્યારે તેમાં તજ, મરી પણ નાંખો તેમાં ગોળ કે મધ પણ મિક્સ કરો.
-માથાનો દુખાવો હોય ત્યારે લવિંગના તેલનો મસાજ કરવાથી પણ ફાયદો થશે. લવિંગનું તેલ ન હોય તો તેનો ધુમાડો પણ લઇ શકો છો. તેનાથી પણ રાહત થશે.