આ દુનિયામાં ઘણા લોકો આર્થિક તંગીથી પરેશાન હોય છે અને ઘણા ઉપાયો છતાં પણ તે મુશ્કેલીઓમાંથી બહાર નથી નીકળી શકતાં પરંતુ જો તમે જન્માષ્ટમીના દિવસે આ ઉપાય કરી લેશો તો બધી દૂર થઇ જશે.
જન્માષ્ટમી પર કરી લો આ ઉપાય
આર્થિક તંગીમાંથી મળશે મુક્તિ
કાન્હાને કહો તમારી તકલીફો
આજે જન્માષ્ટમી
જન્માષ્ટમીના દિવસે એટલે કે કાન્હાના જન્મદિવસે લોકો તેમને ખુશ કરવાના અનેક પ્રયાસ કરે છે. આ સાથે તેઓ પૂજા, અર્ચના, વ્રત અને ઉપવાસની સાથે ભજન કીર્તન કરે છે. સાથે આ અવસરે મંદિર અને ઘરની ઝાંકી અને દહીં હાંડી ફોડવાની સાથે અનેક કાર્યક્રમો યોજાય છે.
આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા કરો આ કામ
જ્યોતિષીઓના કહ્યાં અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણને ગાય અને તેના વાછરડાં ખુબ પ્રિય છે. માટે જો જન્માષ્ટમી પર ગાય કે વાછરડાંની મૂર્તિ લઇને તેની પૂજા કરશો તો તમારી આર્થિક તંગી દૂર થઇ જશે.
તુલસી પરિક્રમા
જો તમે કોઇની પાસે ઉધાર લીધો છે અને તેને ચૂકવી શકતાં નથી કારણકે તમારા પૈસા બીજી જગ્યાએ ખર્ચ થઇ જાય છે તો તમારે જન્માષ્ટમીના દિવસે સાંજે તુલસીની પૂજા કરવી અને સાથે ओम नमः वासुदेवाय મંત્રનો જાપ કરવો જોઇએ. 11 વાર તુલસીની પરિક્રમા કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થઇ જશે.
દૂધનો અભિષેક
સુખ સમૃદ્ધિ પામવા માટે જન્માષ્ટમીની રાત્રે 12 વાગે દૂધમાં કેસર મિક્સ કરીને કૃષ્ણની મૂર્તિ પર અભિષેક કરવો જોઇએ. આવું કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત રહે છે અને વ્યક્તિના જીવનમાં સંતોષ આવી જાય છે.
શંખમાં દૂધ લઈને કરો અભિષેક
માન્યતા અનુસાર વિષ્ણુને શંખ પ્રિય હોય છે અને તેમના હાથમાં તે હંમેશા રહે છે. આ માટે આ દિવસે શ્રીકૃષ્ણના જન્મ સમયે જો તેમાં દૂધ ઉમેરીને અભિષેક કરાય છે તો ભગવાન ખુશ થાય છે. આમ કરનારા ભક્તો પર ભગવાનની વિશેષ કૃપા રહે છે.