ડાયાબિટીસની બિમારીથી આજકાલ મોટાભાગના લોકો પિડીત છે. બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત ના થવાના કારણે ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસ બે રીતે થાય છે.
ડાયાબિટીસ થવાના કારણો
ઇંસુલિન રિસ્પોન્સ ન આપે તો ડાયાબિટીસ
સવારે ઉઠીને કરો આ કામ
એક જ્યારે તમારા શરીરમાં પર્યાપ્ત ઇંસુલિન ન બને ત્યારે અને બીજુ જ્યારે શરીરમાં બની રહેલા ઇંસુલિન પ્રત્યે શરીર રિસ્પોન્સ ન આપે ત્યારે. જો તમે ડાયાબિટીઝમાં ધ્યાન ન રાખો તો તેની ખરાબ અસર આંખો, કિડની અને હ્રદય પર થવા લાગે છે.
ડાયાબિટીસને જીવનશૈલી અને ડાયેટમાં બદલાવ લાવીને આરામથી કંટ્રોલ કરી શકાય છે. જે વસ્તુઓમાં ગ્લાઇકેમિક ઇન્ડેક્સ ઓછી હોય, ફાઇબર અને પ્રોટીન વધારે હોય તેનું સેવન કરવું જોઇએ, જાણીએ કેટલીક એવી ટિપ્સ જેના દ્વારા શુગર કરવામાં આવશે કંટ્રોલ.
સવારની શરૂઆત મેથી દ્વારા કરવી જોઇએ, થોડી મેથીને રાત્રે પલાળી દો અને સવારે તેનુ પાણી પી જાઓ. મેથીના બીમાં ફાઇબરની માત્રા વધારે હોય છે, જે શુગરને ઓછી કરવામાં મદદ કરે છે. તે તમારા શરીરમાં રહેલા વિષ તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરશે.
પલાળેલી બદામ ખાવાથી પણ હેલ્ધી ફેટ અને સારી ગુણવત્તાનું પ્રોટીન મળે છે. પલાળેલી બદામ એટલા માટે કારણકે તેની છાલમાં ટેનિન હોય છે જે પોષકતત્વોમાં અવરોધ ઉભો કરે છે. બદામની છાલ કાઢી દેવાથી શરીરને વધારે ગુણવત્તાવાળા પ્રોટીન મળે છે.
પ્રોટીન અને ફાયબર યુક્ત નાસ્તો કરો. અનાજ અને ઇંડા જેવી ચીજોનો નાસ્તામાં સમાવેશ કરો. વધારે ફાઇબરવાળી ચીજો ધીમે ધીમે પચે છે અને બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે.
ફળોનો જ્યુસ પીવા કરતા સીધા ફળ ખાવાનુ પસંદ કરો. પેકેટબંધ ફળોમાંથી જ્યુસ કાઢી લેવામાં આવે પરંતુ તેમાંથી ફાઇબર નીકળી જાય છે. માટે મોસમી ફળોનુ સીધુ સેવન કરો.
શરીરમાં લીંબુ પાણી, હર્બલ ટીનું સેવન કરી શકો છો. જો તમારા શરીરમાં પાણીની અછત થાય છે તો તમારુ શરીર ડિહાઇડ્રેટ થઇ શકે છે, માટે પાણી પીતા રહો.