આજકાલની લાઇફસ્ટાઇલ એવી થઇ ગઇ છે કે દર બીજો વ્યક્તિ કબજીયાતથી પિડાય છે. કેટલાક ઉપાય અપનાવવાથી કબજીયાત જડમૂળથી નીકળી જશે.
કબજીયાતથી પિડાવ છો તો અપનાવો નુસ્ખા
દર બીજો વ્યક્તિ કબજીયાતથી પિડાય છે
આયુર્વેદમાં કબજીયાત માટે ઘણા ઉપચાર
કબજીયાત ઘણી બિમારીઓનું કારણ બની શકે છે. ખુબ જ કોમન લાગતી આ બિમારીને લોકો સામાન્ય સમજે છે પરંતુ તમામ સમસ્યા અહીંથી જ ચાલુ થાય છે. ઘણીવાર આપણે ડૉક્ટરની સલાહ માનીને દવાઓનું સેવન પણ કરીએ છીએ પણ તેની અસર વધારે સમય રહેતી નથી.
ઘરેલૂ ઉપાયથી થશે સમસ્યા દૂર
આયુર્વેદમાં કબજીયાત માટે ઘણા ઉપાય આપેલા છે. તે સિવાય દાદી-નાની આપણને ઘરેલૂ ઉપાય અપનાવવા કહેતી હોય છે. જો તેને આપણી લાઇફસ્ટાઇલમાં એડ કરી દઇએ તો ઘણો આરામ મળશે.
આડઅસર થતી નથી
સૌથી સારી વાત છે કે આ ઘરેલૂ નુસ્ખાની કોઇ જ સાઇડ ઇફેક્ટ નથી. આવામાં જો આપણે કબજીયાતથી જોડાયેલી રેમેડીઝ ટ્રાય કરીશું તો પેટથી જોડાયેલી અન્ય સમસ્યાઓને પણ ટાટા બાય બાય કહી શકીશું.
ઘરેલૂ ઉપચાર
ગરમ પાણીમાં લીંબુ અને કેસ્ટર ઓઇલ મિક્સ કરીને પીવાથી કબજીયાતમાં રાહત મળે છે.
સવારે ખાલી પેટ નવસેકા પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવો
રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં 1 ચમચી હની એડ કરીને પીવો
સવારે ગરમ પાણીમાં લીંબુ અને કાળુ મીઠુ મિક્સ કરીને પીવો