કોરોનાની સારવાર માટે દરેક રાજ્યોએ પોતાના હેલ્પ લાઈન નંબર્સ જાહેર કર્યા છે. આ સિવાય કેન્દ્રએ પણ ખાસ હેલ્પલાઈન નંબર આપ્યો છે જ્યાંથી કોરોના દર્દીને મદદ મળી રહે છે.
કોરોના મહામારીમાં મદદનો હાથ
કેન્દ્ર અને રાજ્યોએ જાહેર કર્યા હેલ્પલાઈન નંબર્સ
નોંધી લો તમારા રાજ્યનો હેલ્પલાઈન નંબર
કેન્દ્ર સરકારે વધતી મહામારીની વચ્ચે લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું કહ્યું છે. આ સાથે સંક્રમણની વચ્ચે લોકોના મનમાં અનેક પ્રશ્નો છે. આ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની તરફથી દેશના અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ મેળવી શકાય છે.
જાણો કેન્દ્રનો હેલ્પલાઈન નંબર શું છે
દરેક રાજ્યોએ યૂનિયન ટેરિટરિઝના હેલ્પલાઈન નંબર સિવાય કેન્દ્રીય હેલ્પલાઈન નંબરની મદદ માંગી શકે છે. કેન્દ્રીય હેલ્પલાઈન નંબર છે +91-11-23978046. આ સિવાય ટોલ ફ્રી નંબર 1075 પર પણ ફોન કરી શકાય છે. તમે સ્વાસ્થ્ય મંત્રાલયના Helpline Email ID: [email protected] પર મેલ પણ કરી શકો છો.
જાણો રાજ્યવાર હેલ્પ લાઈન નંબર્સ જ્યાંથી મેળવી શકાય છે કોરોનાની સારવાર
ઉત્તરાખંડ, લક્ષદ્વીપ, પોંડિચેરી, દાદર, નગર હવેલી, દમણ અને દીવ - 104
દેશમાં એક દિવસમાં 2.33 લાખ નવા કેસ આવ્યા છે તો એક દિવસમાં 1.22 લાખ દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ 24 કલાકમાં 1338 દર્દીના મૃત્યુ થયા છે જે ચિંતા જનક છે. દેશમાં કુલ 1.45 કરોડ કોરોના કેસ નોંધાયા છે તો હાલ દેશમાં 16.73 લાખ કોરોના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. કોરોના બાદ કુલ 1.26 કરોડ દર્દીઓ સાજા થયા છે અને કોરોનાથી દેશમાં કુલ 1.75 લાખ લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે.