દેવી-દેવતાઓની પૂજામાં ઘણા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓમાં ઘીનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે. ઘીનો દિવો કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. શિવપુરાણ અનુસાર ભગવાનને ઘી અર્પિત કરવાની સાથે સ્વાસ્થ્ય લાભ થવાની સાથેસ સાથે ઘન સંબંધિત મામલાઓમાં પણ શુભ ફળ મળી શકે છે. જાણો ઘીના બીજા ઘણા ફાયદાઓ....
નકારાત્મકતા દૂર કરવા માટે કરો આ ઉપાય:
ખરાબ સમય અને નકારાત્મકતા દૂર કરવા માટે ઘીનો ઉપાય કરી શકો છો. ઉપાયના અનુસાર ઘરમાં રોજ સાંજે ઘીનો દીવો કેસર નાખીનો કરો. દીવો થવા પર ઘી અને કેસરથી મિશ્ચિત ધૂમાડો થશે જે વાતાવરણમાંથી નકારાત્મક ઉર્જાને ખત્મ કરવાની સાથે સાથે સકારાત્મક ઉર્જા વધારશે. આ ઉપાયથી ઘરને ખરાબ નજરમાંથી બચાવી શકાશે.
વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ માટે કરો આ ઉપાય:
આજકાલ મોટેભાગે લોકોના વૈવાહિક જીવનમાં વાદ-વિવાદ થતા રહેતા હોય છે. ક્યારેક નાના-નાના વિવાદો મોટા રૂપ લઇ લે છે. એવી સ્થિતિથી બચવા માટે ઘીનો ઉપાય કરો. રોજ રાતે સૂતાં પહેલા ઘરમાં જ્યાં વાસણ ધોવો છો તે સ્થાન પર ઘીનો એક દીવો કરો. દીવો કરતા પહેલા રસોડાના સારી રીતે સાફ કરી લેવું જોઇએ.
શારિરીક બળ વધારવા માટે કરો આ ઉપાય:
જો કોઇ વ્યકિત શારીરિક રૂપથી નબળો અનુભવ કરતા હોય તો શિવલિંગ પર રોજ ઘી અર્પિત કરવું જોઇએ. શિવપુરાણ અનુસાર જે વ્યકિત શિવલિંગ પર ઘી અર્પિત કરે છે તેણે શારિરીક બળ પ્રાપ્ત થાય છે આ ઉપાયની સાથે ખાવામાં ઘીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે.