લોકો સવારે ઊઠીને નાસ્તામાં અલગ અલગ ચીજો ખાવાનુ પસંદ કરે છે, પરંતુ ક્યારેક તેઓ એવી વસ્તુઓનું સેવન કરી બેસે છે કે આરોગ્યને નુકસાન થાય છે. તેની સૌથી પહેલી અસર પેટ પર થાય છે. પાચનતંત્ર ધીમું થવાથી પેટ સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ બધી વસ્તુઓથી બચવા માટે સવારે સીધો નાસ્તો કરવાની જગ્યાએ કેટલીક એવી વસ્તુઓુનું સેવન કરવું જોઇએ તેનાથી શરીરને બધાં તત્વો મળે અને આરોગ્યને ફાયદો થાય.
કોરોનાકાળમાં અપનાવો આ હેલ્થ ટિપ્સ
સવારે ઉઠીને આ કામ કરવાથી આવશે સ્ફૂર્તિ
વિટામિન્સથી ભરપૂર છે આ હેલ્થટિપ્સ
તુલસી
તુલસીમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ ગુણ ભરપુર માત્રામાં હોય છે. આવા સંજોગોમાં શરીર બીમારીઓથી બચવામાં મદદ કરે છે. આમ તો ઘણા લોકો ચામાં તુલસી પાન નાખીને તેનું સેવન કરે છે, પરંતુ સવારે ખાલી પેટ તુલસીનાં પાનનું સેવન કરવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે અને સિઝનલ શરદી અને તાવમાં પણ ખૂબ જ ફાયદો થાય છે.
લીંબુ-મધ
રોજ સવારે હૂંફાળાં પાણીમાં લીંબુના રસનાં ટીપાં અને મધ મિક્સ કરીને પીવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. સાથે સાથે વજન પણ કન્ટ્રોલમાં
રહે છે.
અજમો
અજમામાં રહેલાં પોષક તત્વો ખાવાનો સ્વાદ વધારવાની સાથે પેટને પણ તંદુરસ્ત રાખે છે. રોજ સવારે ખાલી પેટે અજમાનું પાણી પીવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી રાહત મળે છે. તેમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ ડાયાબિટીસ થવાના ખતરાને ઘટાડે છે. સાથે શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને
ઘટાડે છે.
ગ્રીન ટી
જે લોકો પોતાનાં વધુ પડતાં વજનથી પરેશાન છે, તે લોકોએ તો ખાલી પેટ હર્બલ કે ગ્રીન ટીનું સેવન કરવું જોઇએ. તેનાં સેવનથી વેઇટ લુસ થવાની સાથે સાથે ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બનેે છે.
બદામ
દરરોજ સવારે આખી રાત પલાળેલી બદામ ખાવાથી શરીરને જરૂરી તમામ પોષકતત્વો યોગ્ય માત્રામાં મળે છે. આખો દિવસ શરીરમાં ચુસ્તી અને સ્ફૂર્તિ રહે છે.