જો ટ્રાન્ઝેક્શન ફેલ થઇ ગયું છે તો એની સ્લિપ સંભાળીને રાખો. આ સ્લિપ પર ATMની આઇડી લોકેશન સમય અને બેંક તરફથી રિસ્પોન્સ કોડ વગેરે પ્રિન્ટ હોય છે. જો ટ્રાન્ઝેક્શન સ્લિપ નિકળી નથી તો તમે બેંક સ્ટેટમેન્ટ આપી શકો છો. બ્રાંચમાં લેખિત ફરિયાદ કરો અને ટ્રાન્ઝેક્શન સ્લિપની ફોટોકોપીને અટેચ કરો.
આરબીઆઇની ગાઇડ લાઇન્સ પ્રમાણે બેંકને તમારા પૈસા 1 સપ્તાહની અંદર પરત આપવા પડશે. જો બેંક આવું કરતું નથી તો રોજના હિસાબથી 100 રૂપિયાનો દંડ આપવો પડશે.
જો ગ્રાહક પોતાની બેંકમાંથી પૈસા નિકાળી રહ્યો હોય તો બેંક 24 કલાકની અંદર પોતે પણ પૈસા ક્રેડિટ કરી દે છે. પરંતુ મામલો બીજી બેંકના એટીએમમાં થયો છે તો કેટલીક વખત એટીએમ મશીનથી પૈસા નિકળતા નથી પરંતુ મશીનના લોગ બુકમાં પૈસા ડેબિટ થવાનું દાખલ થઇ જાય છે. જો આવું કંઇ થાય છે તો તમારે નુકસાન ઊઠાવવું પડશે. કારણ કે બીજી બેંક પૈસા આપવા માટેની ના પાડી શકે છે.
કેટલીક વખત બેંક એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરે છે. જો ફુટેજમાં પુષ્ટિ થઇ જાય છે કે પૈસા નિકળ્યા નથી તો બેંક તમને દંડની સાથે ડેબિટ થયેલા પૈસા પાછા આપશે.
જ્યારે પણ ATM માં તમારા પૈસા ફસાયેલા છે તો સૌથી પહેલા સંબંધિત બેંકથી જોડાયેલ ATM સાથે સંપર્ક કરો. જો બેંક ખુલ્લી નથી અને બીજી કોઇ વાત હોય તો કસ્ટમર કેરમાં ફોન કરો.