વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક અમૃત મહોત્સવ સપ્તાહને રાષ્ટ્રવ્યાપી સમારોહના શુભારંભના અવસર પર કહ્યું, "સરકાર નિકાસની સહાયતા અને સમસ્યાઓના સમાધાન માટે 24 કલાક ચાલતી 'હેલ્પ લાઈન'ને સંસ્થાગત રૂપ આપવા જઈ રહી છે. આઝાદી કા અમૃત હેઠળ સેજ નોએડામાં 'વાણિજ્ય શપથ'નો શુભઆરંભ કાર્યક્રમને સંબોધિત કરતા પીયુષ ગોયલે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય બ્રાન્ડ ઈન્ડિયાની ગુણવત્તા, ઉત્પાદકતા, પ્રતિભા અને નવાચારનું પ્રતીક બનાવવાનો છે. ઉલ્લેખનીય છે કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આઝાદી કા અમૃત મહોત્સવ સમારોહના ભાગના રૂપમાં પ્રગતિશીલ ભારતના 75 વર્ષનો ઉત્સવ ઉજવવા માટે આજે દેશ ભરમાં 7 દિવસ સુધી ચાલનાર કાર્યક્રમની શરૂઆત કરી રહ્યું છે.
ત્યાં જ બીજી બાજુ ભારત ક્રૂડ ઓઈલ, સોનુ, મોતી, કિંમતી પથ્થર, પેટ્રોલિયમ ઉત્પાદન, દૂરસંચાર ઉપકરણ, ઈલેક્ટ્રોનિક ઉપકરણ, ઔદ્યોગિક મશીનરી, ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ, પશુ / વનસ્પતિ વસા, તેલ, મીણબત્તી, પ્લાસ્ટિક અને ચિકિત્સા ઉપકરણ જેવા સામાન વિદેશોથી ખરીદી રહ્યા છે.
સરકારે ઉઠાવ્યા કડક પગલા
ગોયલે જણાવ્યું કે ઉત્તર પ્રદેશે ઔદ્યોગિક વિકાસ અને નિકાસમાં સારી પ્રગતિ કરી છે. યુપીમાં કાયદા અને વ્યવસ્થામાં સુધારાથી વ્યાપાર કરવો ખૂબ સરળ અને સુરક્ષિત થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે આવતા 25 વર્ષ માટે સંયુક્ત રૂપથી એક રોડમેપ તૈયાર કરવા અને વિશ્વ વ્યાપારમાં ભારતને અગ્રણી દેશ બનાવવા માટે યોગદાન આપવાની જરૂર છે.
મંત્રીએ જણાવ્યું કે સામાજિક ક્ષેત્રના સુધારાએ વિકાસને કલ્યાણકારી બનાવી દીધો છે. સ્વાસ્થ્ય કાર્યક્રમોનું મોટા પ્રમાણમાં વિસ્તાર, શૌચાલયોનું નિર્માણ વગેરે એક મોટી સફળતા છે અને તેમાં દરેકના વિકાસને સમાવવામાં આવી શકે છે.
ઘરમાં વિજળી અને રસોઈ ગેસની ઉપલબ્ધતાને દેશના એ કરોડો નાગરીકોના જીવન પર એક અસાધારણ અસર કરી છે જેમને પહેલા ક્યારેય આ લાભ ન હતા મળ્યા.
પીયુષ ગોયલે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીનું 'આઝાદી કા અમૃત મહોત્સવ'નું આહ્વાન આપણા સ્વતંત્રતા સેનાનીઓ અને સ્વતંત્રતા આંદોલનના પ્રતિ શ્રદ્ધાંજલી છે અને આપણા માટે નવા જોશ, ઉમંગ અને ઉત્સાહને પ્રેરિત કરવા અને તેને ફરી જગાવવાનો અવસર છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વાણિજ્ય સપ્તાહ એક અખિલ ભારતીય ચરિત્રનું પ્રતીક છે અને આ જન-આંદોલન અને જન-ભાગીદારીની ભાવનાને પ્રતિબિંબિત કરશે.