ઘણી વખત એવું પણ બને છે કે ATMમાંથી ફાટેલી નોટો બહાર નિકળે છે. આ ઉપરાંત માર્કેટમાં પણ ફાટેલી નોટો લોકો આપણને પધરાવી દેતા હોય છે. હવે આ ફાટેલી નોટ તમારે ક્યાં પધરાવવી એ વિચાર્યા વગર તેને યોગ્ય જગ્યા પર પરત કરી દેવી જોઈએ. તેના માટે RBIએ નિયમો બહાર પાડ્યા છે.
આરબીઆઈના નિયમો અનુસાર, ફટેલી-જુની નોટને તમે બેન્કમાં જઈને સરળતાથી બદલાવી શકો છો. આ નિયમો અનુસાર બેન્ક એ નોટોને લેવાનો ઈનકાર ન કરી શકે અને જો તે ના પડે તો તમે RBIની પાસે ફરિયાદ કરી શકો છો. જ્યાર બાદ બેન્ક પર કાર્યવાહી થઈ શકે છે.
આવી નોટો પણ બદલી આપવામાં આવશે
આરબીઆઈના નિયમ અનુસાર જો નોટના ટુકડે ટુકડા થઈ ગયા હોય તો પણ તેને ચલાવી શકાય છે. જો ફાટેલી મોટનો કોઈ ભાગ ગાયબ થઈ ગયો છે તો પણ તેને બદલી શકાય છે. સામાન્ય ફાટેલી નોટને કોઈ પણ બેન્ક શાખાના કાઉન્ટરો પર અથવા ભારતીય રીઝર્વ બેન્કના કોઈ નિર્ગમ કાર્યાલયમાં ફેરવી શકાય છે અને તે પણ વગર કોઈ ફોર્મ ભરે.
આવી નોટને બદલવાના પુરા પૈસા મળે છે?
આરબીઆઈ કહે છે કે જો નોટ ખૂબ વધારે ગંદી, નાજુક અથવા ફાટેલી અથવા બળેલી છે. તો આવી નોટ ફક્ત RBIના નિર્ગમ કાર્યાલયમાં જ બદલી શકાય છે. હવે સવાલ એ ઉઠે છે કે શું આવી નોટને બદલવાના પુરા પૈસા મળે છે? આરબીઆઈ અનુસાર, આ નોટોની હાલત અને વેલ્યુ પર નિર્ભર કરે છે. જો સામાન્ય ફાટેલી નોટ છે તો તેના બદલામાં સંપૂર્ણ પૈસા મળી જાય છે. જ્યારે નોટ વધારે ફાટેલી હોય તો તમને તેના બદલામાં નોટની વેલ્યુનો અમુક ટકા ભાગ જ પરત મળશે.
નિયમ અનુસા જો 50 રૂપિયાથી ઓછી વેલ્યુ વાળી નોટનો મોટો ટુકડો સામાન્ય નોટથી 50 ટકાથી વધારે મોટો છે તો તેને બદલવા પર તમને સંપૂર્ણ પૈસા પરત મળી જશે. જ્યારે 50 રૂપિયાથી વધુની કિંમતવાળી નોટનો મોટો ટુકડો જો સામાન્ય નોટના 80 ટકા અથવા તેનાથી વધારે છે તો તેને બદલવા પર તમન સંપૂર્ણ પૈસા મળી શકે છે.