પતિના લાંબા આયુષ્ય માટે પત્ની દ્વારા વટસાવિત્રીનું વ્રત કરવામાં આવે છે પરંતુ આ વખતે આ દિવસ ખાસ છે કારણ કે એક મહત્વનો સંયોગ સર્જાઇ રહ્યો છે
30મેનો દિવસ છે ખાસ
સોમવતી અમાસ-વટસાવિત્રીનું વ્રત એક જ દિવસે
કેવી રીતે કરશો વટ સાવિત્રીનું વ્રત
આ વર્ષે શનિ જયંતિ 30 મે, સોમવારના રોજ આવી રહી છે. આ ઉપરાંત વર્ષો પછી શનિ જયંતિ પર એક અદ્ભુત સંયોગ પણ બની રહ્યો છે, જેના કારણે આ દિવસનું મહત્વ અનેકગણું વધી ગયું છે. કારણ કે 30મેના રોજ સોમવાર અને તેમાં પણ અમાસ. એટલે કે સોમવતી અમાસ અને વટસાવિત્રીનું વ્રત . આ કારણોસર 30મેનો દિવસ શુભ બની રહેશે.
અમાસના દિવસે વટસાવિત્રીનું વ્રત
વટ સાવિત્રી વ્રત દર વર્ષે કૃષ્ણ પક્ષની અમાસના દિવસે આવે છે. આ વર્ષે આ તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ઘણા વર્ષો પછી 30 મેના રોજ સોમવતી અમાસનો શુભ સંયોગ બની રહ્યો છે. સોમવતી અમાસના દિવસે કરવામાં આવતા ઉપવાસ, પૂજા-પાઠ, સ્નાન અને દાન વગેરે અખૂટ ફળ આપે છે. વટ સાવિત્રી વ્રત સૌથી કઠિન ઉપવાસોમાંનું એક માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે વટ સાવિત્રી વ્રત દરમિયાન નિયમ પ્રમાણે પૂજા કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળે છે.
વટ સાવિત્રી વ્રતનું મહત્વ
એવું માનવામાં આવે છે કે વટવૃક્ષની પૂજા કરવાથી દીર્ધાયુષ્યનું ફળ, સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે સાવિત્રીએ તેમના પતિ સત્યવાનનું જીવન યમરાજ પાસેથી પાછું લાવ્યું હતું. ત્યારથી, મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ દિવસે વ્રત રાખે છે.
વટ સાવિત્રી વ્રતના મુહૂર્ત
અમાસ તિથિ શરૂ થાય છે - 29 મે, 2022 બપોરે 02:54 વાગ્યે
અમાસ તિથિ સમાપ્ત થાય છે - 30 મે, 2022 સાંજે 04:59 વાગ્યે
વટ સાવિત્રી ઉપવાસ પૂજા સામગ્રી
વટ સાવિત્રી વ્રતની આરાધના સામગ્રીમાં સાવિત્રી-સત્યવાનની મૂર્તિ, ધૂપ, દીવો, ઘી, વાંસનો પંખો, લાલ કપડું,કાચુ સુત્તર, પલાળેલા ચણા,
વડના ફળ, પાણી ભરેલો કળશ વગેરેનો સમાવેશ થાય છે.
વટ સાવિત્રી વ્રત પૂજા પદ્ધતિ
આ દિવસે સવારે ઘરની સફાઈ કર્યા પછી રોજના કામમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરવું.
આ પછી આખા ઘરમાં પવિત્ર જળનો છંટકાવ કરો.
વાંસની ટોપલીમાં સાત દાણા ભરીને બ્રહ્માની મૂર્તિની સ્થાપના કરો.
બ્રહ્માની ડાબી બાજુ સાવિત્રીની મૂર્તિ સ્થાપિત કરો.
એ જ રીતે બીજા ટોપલામાં સત્યવાન અને સાવિત્રીની મૂર્તિ સ્થાપિત કરો.
આ ટોપલીઓને વડના ઝાડ નીચે લઈને મૂકો
આ પછી બ્રહ્મા અને સાવિત્રીની પૂજા કરો.
હવે સાવિત્રી અને સત્યવાનની પૂજા કરતી વખતે વડલાના મૂળમાં જળ ચઢાવો.
પૂજાની સમાગ્રીથી હવે વડની પૂજા કરો
વડના ઝાડને પાણીથી સિંચ્યા પછી, તેના થડની આસપાસ કાચો દોરો વીંટાળવો અને ત્રણ વાર તેની પરિક્રમા કરવી.
વડના મોટા પાનના આભૂષણો પહેરીને કથા સાંભળો
પલાળેલા ચણાના દાણા કાઢીને, રોકડ રકમ રાખી સાસુના ચરણ સ્પર્શ કરીને સાસુના આશીર્વાદ મેળવો.
પૂજાના અંતે વાંસના વાસણમાં બ્રાહ્મણોને વસ્ત્ર અને ફળ વગેરેનું દાન કરો.
આ વ્રતમાં સાવિત્રી-સત્યવાનની પુણ્ય કથા સાંભળવાનું ભૂલશો નહીં. પૂજા કરતી વખતે આ વાર્તા બીજાને કહો.