જે લોકોની કુંડળીમાં ગ્રહ અશુભ સ્થિતિમાં હોય છે તે કોઈ પણ કામમાં સરળતાથી સફળતા પ્રાપ્ત નથી કરી શકતા. રૂપિયાની તંગી બની રહે છે અને મન અશાંત રહે છે. જ્યોતિષમાં કુંડળીના દોષ દૂર કરવા માટે અનેક ઉપાય બતાવવામાં આવ્યાં છે. આ ઉપાયને નિયમિત રૂપથી કરતા રહેવા પર હકારાત્મક ફળ મળી શકે છે અને ધનની કમી દૂર થઈ શકે છે. જાણો કેટલાક ખાસ ઉપાય.
જો તમને મહેનત કરવા છતાં ધારી સફળતા મળતી નથી તો રોજ કોરા લોટમાં થોડી હળદર મિક્સ કરીને ગાયને ખવડાવો. આવું નિયમિત રૂપે કરો. ગાયને શાસ્ત્રો અનુસાર પૂજનીય તથા પવિત્ર માનવામાં આવે છે. ગાયમાં તમામ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે અને તમની પૂજા કરવાથી ભક્તોને ભાગ્યનો સાથ મળે છે. જો કોઇ વ્યકિત નિયમિત રીતે ગૌમતાની સેવા કરે છે તો તેની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. ગાયને કોરા લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવાથી ગૌમાતા પ્રસન્ન થાય છે.
આ સિવાય દરેક બુધવારે સવારે જલ્દી ઉઠો અને ન્હાયા પછી લીલા રંગના વસ્ત્રો ધારણ કરો. સવારે ગાયને લીલું ઘાસ અથવા તો કોઇ હાથીને શેરડી ખવડાવો. આ ઉપાયથી શ્રીગણેશની સાથે સાથે તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. કુંડલી દોષ પણ શાંત થઇ જશે.
જો કોર્ટ વિવાદ ન ઉકેલાય રહ્યા હોય તો મંગળવાર કે શનિવારના દિવસે કોઇ કાળા રંગની ગાયને કાચું દૂધ પીવડાવો. ગાયને લીલું ઘાસ ખવડાવો. કોર્ટ વિવાદમાં સમજૂતી થઇ જશે.
આ સિવાય ધ્યાન રાખો કે ક્યારેય પણ ભૂલથી પણ ગાયને ઝાંડૂ ન મારો નહીં તો અપશુકન અથવા તો દુર્ભાગ્યનો સામનો કરવો પડશે. ગાયની સેવા કરો. ઘરમાં જ્યારે પણ ભોજન બનાવો ત્યારે પહેલી રોટલી ગાયને દાન કરો અને સાથે જ અધાર્મિક કામોથી બચો આમ કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થઇ જશે.