હાઇ બ્લડ પ્રેશર પોતાની સાથે કેટલાય પ્રકારની બિમારીઓ લઇને આવે છે. ફટાફટ થઇ રહેલા સરક્યુલેશનને લીધે તકલીફો ઉભી થઇ શકે છે. પરંતુ જો ખાણી-પીણી બાબતે કેટલીક તકેદારી રાખવામાં આવે તો હાઇ બ્લડ પ્રેશરને વધતું અટકાવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે હાઇ બ્લડ પ્રેશરને કારણે વ્યક્તિને થાક લાગવો સતત પરસેવો વળવો માથાનો દુખાવો અને તણાવ શ્વાસ લેવામાં તકલીફ જેવી અનેક સમસ્યા થાય છે.
પરંતુ અહીં આપવામાં આવેલ ટીપ્સ પ્રમાણે કરવાથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યામાંથી રાહત મળી શકે છે.હાઇ બ્લડ પ્રેશર થાય પછી જ એની સારવાર કરાવવી મૂર્ખતાભર્યું કાર્ય છે. જો નાનપણથી જ આ કેટલીક બાબતોની કાળજી રાખીશું તો આખું જીવન તંદુરસ્ત રહી શકીશું.
- ગાજરનો મુરબ્બો ખાવાથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.
- આંબળાના રસની સાથે મધ મેળવીને પીવાથી દર્દીને રાહત મળે છે.
-દુધીનો રસ ખાલી પેટે પીવાથી હાઇ બ્લડ પ્રેશરના દર્દીને રાહત મળી શકે છે.
- દરરોજ એક કપ પાણીમાં લીંબૂનો રસ મેળવીને પીવાથી રાહત મળે છે.
-દરરોજ વહેલી સવારે ખુલ્લા પગે ઘાસમાં(લોન) ચાલવાથી હાઇ બ્લડ પ્રેશરમાં રાહત મેળવી શકાય છે.