આમ તો દરેક ફળમાં કોઇને કોઇ વિટામિન્સ રહેલા હોય છે . પરંતુ જો તમારે ડાયાબિટીસના રોગમાં રાહત મેળવવી હોય તો એકમાત્ર ફળ છે જે તમને કરાવશે ફાયદો
ડાયાબિટીસના દર્દીઓ માટે અંજીર લાભદાયી
દૂધમાં પલાળીને ખાવા જોઇએ અંજીર
ફાઇબરથી ભરપૂર છે અંજીર
આપણા શરીરમાં લોહી પુરતા પ્રમાણમાં હોવું જરુરી છે. જો લોહી ઓછુ હોય તો શરીરમાં અનેક સમસ્યાઓ સર્જાય છે. જેને એનિમીયા કહેવામાં આવે છે. શરીર ફીકુ પડી જવુ, અશક્તિ લાગવી, ચક્કર આવવા, નાનુ નાનુ કામ કરીને પણ થાકી જવુ. આવી અનેક સમસ્યાઓ સર્જાય છે. આવી તકલીફમાં અંજીર સૌથી મહત્વનો ઉપાય છે. પરંતુ બ્લડ સુગરને કંટ્રોલમાં કરવા માટે પણ અંજીરનું સેવન લાભદાયી છે. અંજીર ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને રાહત રહે છે. જો કે અંજીર ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરુરી છે. ત્યારે આવો જાણીએ અંજીર ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને રાહત મળશે.
અંજીરમાં ભરપૂર ફાયબર હોય છે
ડાયાબિટીસના દર્દીઓ માટે અંજીર ખૂબ જ ફાયદાકારક છે. ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ ઉપરાંત તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે, જેની મદદથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
ગ્લુકોઝને લોહીમાં નહીં શોષાવા દે
તમને જણાવી દઈએ કે અંજીર એન્ટી ડાયાબિટીક ગુણોથી ભરપૂર હોય છે. તે ડાયાબિટીસને કારણે શરીર પર થતી ખરાબ અસરોને ઘટાડવામાં મદદરૂપ છે. તેની સાથે તેમાં દ્રાવ્ય ફાઈબર મળી આવે છે, જે ગ્લુકોઝને લોહીમાં ઝડપથી શોષવા દેતું નથી.
આ રીતે કરો અંજીરનું સેવન
ડાયાબિટીસના દર્દીઓએ સૂકા અંજીરને દૂધમાં મિક્સ કરીને પી શકો છો. આ માટે સૂકા અંજીરને લગભગ 4-5 કલાક દૂધમાં પલાળી રાખો. આ પછી તમે તેને રાત્રે સૂતા પહેલા પી શકો છો. તમને જણાવી દઈએ કે તમારે અંજીરનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. એક અંજીરમાં ત્રણ ગ્રામ ફાઇબર હોય છે. અંજીર કબજીયાત ઘટાડે છે, અને તેમાં વિટીમીન B-2 હોય છે, જેથી તે શરીરમાં બ્લડ સેલ્સ વધારવા માટે સૌથી વધુ ઉપયોગી બને છે. તે કૉલેસ્ટ્રોલ ઘટાડે છે, તેમજ લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં કેલ્સિયમ સારી માત્રામાં હોય છે. અંજીરમાં રહેલું આર્યન વિટામીન સ્ટ્રેસમાંથી રાહત આપે છે. જેના કારણે ઓછી ઉંઘની સમસ્યાથી છૂટકારો મળે છે.