ભારતમાં ડાયાબિટીસના દરદીઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે એની પાછળ ખોટી લાઇફસ્ટાઇલ જ કારણભૂત છે. બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવા માટે ખાવા-પીવામાં શું કાળજી રાખવી જાઈએ. જ્યારે આપણા શરીરમાંના ગ્લુકોઝનું એનર્જીમાં રૂપાંતર કરવાની ક્ષમતામાં ખોટ આવે ત્યારે ગ્લુકોઝ વપરાયા વિનાનો લોહીમાં પડી રહે છે અને આપણને બ્લડ શુગર વધેલું જણાય છે.
ડાયાબિટીસને કંટ્રોલ કરવા ઘરેલૂ ઉપાય
બેઠાડુ જીવન જીવવાથી મેદસ્વિતા વધે
ઘરેલૂ ઉપચારથી થશે ફાયદો
શુગર એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં રાખવાનું કામ ઇન્સ્યુલિન કરે છે. આપણા શરીરમાં નાના આંતરડાની બાજુમાં ડાબી તરફ આવેલી સ્વાદુપિંડ નામની ગ્રંથિમાંથી સ્રવતું ઇન્સ્યુલિન હોર્મોન લોહીમાંના ગ્લુકોઝનું નિયંત્રણ કરે છે. શરીરમાં ગ્લુકોઝના પ્રમાણનું નિયંત્રણ કરતા ઇન્સ્યુલિન હોર્મોનનો સ્રાવ ઓછો થાય, સદંતર બંધ થઈ જાય અથવા તો પછી આ હોર્મોનનો સ્રાવ થવા છતાં બરાબર કામ ન કરી શકે ત્યારે શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ૮૦થી ૧૨૦ યુનિટની વચ્ચે રહે એ સામાન્ય ગણાય છે.
અપચન, બેઠાડુ જીવન, વધુ પડતી ઊંઘ, સ્ટ્રેસ અને મેદસ્વિતા એ ડાયાબિટીસનાં મુખ્ય કારણો હોય છે. રોગનાં લક્ષણો અને વ્યક્તિગત તપાસના આધારે સારવાર આપવામાં આવે છે પણ કેટલીક સામાન્ય કાળજી ડાયાબિટીસના દરદીએ રાખવી જ જોઇએ.
ઘઉં નહીં, ચોખા ખાઓ
લોકો માને છે કે ડાયાબિટીસ થાય એટલે ચોખા ન ખવાય. આ સૌથી મોટી અને ખોટી માન્યતા છે. ખરેખર ઘઉંં કરતાં ચોખા પચવામાં હલકા અને પૌષ્ટિક છે. ડાયાબિટીસના દરદીઓએ ઓછામાં ઓછા એક વર્ષ જૂના, અનપોલિશ્ડ સાઠી ચોખા વાપરવા. સાઠી એટલે સાઠ દિવસમાં ઊગેલા હોય એ. ચોખામાં રહેલ વધારાનો સ્ટાર્ચ બાળી નાખવા માટે એને પહેલાં કડાઈમાં ધીમી આંચે હલાવીને શેકવા. હળવા બ્રાઉન રંગના થાય એટલે એમાંનો સ્ટાર્ચ બળી ગયો સમજવો. આ ચોખા ભરી રાખવા. એને રાંધતી વખતે ઓસાવીને કાંજી કાઢી નાખવી અને પછી ખાવા. આ ચોખામાંનું લાયસિન ખોરાકમાંથી વિટામિન-બી અને કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે.
મેદ ઘટાડવા જવ ખાઓ
ઘઉંના બદલે જવ ખાઓ. ડાયાબિટીસના દરદીઓ મેદસ્વી હોય છે અને તેમના માટે મેદ ઘટાડવો ખૂબ જ આવશ્યક છે. ઘઉંં કરતાં જવમાં અનેકગણું ફાઇબર હોવાના કારણે કબજિયાત દૂર થાય છે. જવ ધીમે ધીમે પચે છે એટલે એનાથી લોહીમાં અચાનક જ શુગર નથી વધતી. રોજ ભોજનમાં જવની રોટલી કે ભાખરી બનાવીને લઈ શકાય. જવથી લિવરનું ફંક્શન પણ સુધરે છે અને શરીરમાં ભરાઈ રહેલો યુરિક એસિડ પણ ઘટે છે.