આજકાલ મોટાભાગના લોકોમાં બીપી અને ડાયાબિટીસ જોવા મળે છે. તેની અનેક દવાઓ બજારમાં ઉપલબ્ધ છે પરંતુ ઘરગથ્થુ ઉપચાર ડોક્ટરની સલાહથી શરુ કરીએ તો મળી શકે છે ફાયદા
ડાયાબિટીસ- બીપીનો રામબાણ ઇલાજ
ઘરમાં મળી રહેશે સરળતાથી
બસ એક ચમચી હળદરથી સ્વાસ્થ્ય રહેશે સારુ
ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે બેઠાડુ જીવન અને ખરાબ ખાન પાનને લીધે તેમજ વારસાગત જોવા મળે છે.આજે મોટાભાગના લોકો આ રોગથી પીડિત છે. જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ રોગનો ઘરગથ્થુ ઉપચાર પણ છે. ત્યારે આજે જાણીએ એવી વસ્તુ વિશે કે જેનાથી બીપી અને બ્લડ સુગરને કંટ્રોલમાં કરી શકાય છે. ત્યારે ડાયાબિટીસના દર્દીઓએ આ ઘરગથ્થુ ઉપચારનો કેવી રીતે ઉપયોગ કરવો, આવો જાણીએ .
હળદર બ્લડ શુગરને કંટ્રોલ કરશે
હળદર ફક્ત તમારા ઘાને મટાડવા માટે જ ઉપયોગી નથી, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વાસ્તવમાં તેમાં એવા ગુણ હોય છે, જેના કારણે દર્દીઓની બ્લડ શુગર સરળતાથી નિયંત્રિત રહે છે. તેથી તમે તેને તમારા આહારમાં પણ સામેલ કરી શકો છો. કારણ કે હળદરમાં એન્ટિઑક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. જે શરીરમાં ઇન્સ્યુલિન વધારવામાં ઉપયોગી છે. જેથી સુગરને કંટ્રોલ કરી શકાય છે.
આ રીતે કરો હળદરનો ઉપયોગ
આમ તો ડોક્ટરને પૂછ્યા વિના તમારે હળદરનો ઉપયોગ ન કરવો જોઇએ. પરંતુ જે લોકો આ પ્રયોગ કરવા માંગે છે કે તે લોકોએ હળદરનો રોજિંદા જીવનમાં ઉપયોગ શરુ કરી દેવો જોઇએ. રોજિંદા ખોરાકમાં તમે હળદરનો ઉપયોગ કરી શકો છે. આ ઉપરાંત હળદર વાળુ પાણી પીવાથી પણ ફાયદો થાય છે. હળદરની ચા પણ દર્દીઓ માટે ઉપયોગી છે.
આ ઉપરાંત 10 મિલી આંબળાના જ્યુસને 2 ગ્રામ હળદર સાથે ભેળવીને પીવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
તુલસીના પાન
આ ઉપરાંત ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી શરીરમાં ઇન્સ્યુલિન વધે છે જેથી સુગર કંટ્રોલમાં થાય છે. કારણ કે તુલસીના પાનમાં એન્ટિ ઓક્સિડન્ટ હોય છે .
તજ પાવડર
આ ઉપરાંત નિયમિત 3-4 મહિના સુધી ખાલી પેટે તજનો પાવડર લેવાથી ડાયાબિતટીસ કંટ્રોલમાં કરી શકાય છે.