હવે ટ્રેન ટિકિટ બુક કરાવવી સાવ સહેલું થઈ ગયું છે. ઘરે બેઠા બેઠા જ IRCTC દ્વારા તમે ગમે ત્યાંની ટિકિટ બુક કરાવી શકો. પણ મોટાભાગના પ્રવાસીઓ એક એવી સમસ્યાને લઈને પરેશાન હતા કે ટ્રેન ટિકિટમાં નામ બદલવું હોય તો? જો કે હવે આ વસ્તુ પણ શક્ય છે. ટિકિટ કન્ફર્મ થયા પછી પણ તમે ટિકિટમાં યાત્રીનું નામ બદલી શકશો.
IRCTCની નવી સુવિધા લઇને આવ્યું છે. જે અંતર્ગત તમે ઇ-ટિકિટમાં તમારું નામ બદલાવી શકો છો. IRCTCની સત્તાવાર વેબસાઇટ irctc.co.in આપવામાં આવેલી માહિતી મુજબ ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલાં તમે નામમાં બદલાવ કરી શકો છો.
જો કે ટિકિટમાં યાત્રીનું નામ બદલવા માટે તમારે નજીકમાં આવેલ રેલવેની ઑફિસે જવું પડશે. અહીં તમારે ‘ઈલેક્ટ્રોનિક રિઝર્વેશન સ્લિ’ની પ્રિન્ટ લઈને જવાનું રહેશે. આ ઉપરાંત તમારે ટિકિટમાં સામેલ યાત્રીઓમાંથી કોઈ એકનું ઓળખપત્ર પણ લઈ જવું પડશે.
IRCTC મુજબ જો પ્રવાસી બદલાવાનો આગ્રહ કરે છે તો તે હવે શક્ય છે. આ નવી સુવિધા રેલ્વેના નિયમો અંતર્ગત જ મળશે.
આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે તમારે 24 કલાક પહેલાં લેખિતમાં નામ બદલવાની અરજી આપવી પડશે. આ ટિકિટ પ્રવાસીના પરિવારના બીજા સભ્યોને પણ ટ્રાન્સફર કરી શકાય છે. જો કે ભાઈ બહેન માતા પિતા બાળક પત્ની અથવા પતિમાંથી જ કોઈને ટ્રાન્સફર કરી શકાય છે.
ટિકિટ ટ્રાન્સફર કરાવવાની હોય તો તમારે ઈલેક્ટ્રોનિક રિજર્વેશન સ્લિપની સાથે જેના નામ પર ટિકિટ ટ્રાન્સફર કરાવવા માગો છો એ તમારા પરિવારનો જ સભ્ય છે તેવું ઓળખપત્ર લઈ જવાનું રહેશે.
IRCTCનું કહેવુ છે કે આવી અરજી માત્ર એક જ વખત સ્વીકારવામાં આવશે. એટલે કે એક ટિકિટ પર એકથી વધુ વખત નામ નહીં બદલાવી શકાય.