અમદાવાદમાં કરવામાં આવેલા એક મોટા સર્વેમાં એવું સામે આવ્યું છે કે ભાડૂઆત બે જ વર્ષમાં પોતાનું ઘરનું ઘર કરી નાખે છે.
ભાડૂઆતના સર્વેમાં રાહતના સમાચાર
અમદાવાદ સહિતના શહેરોમાં ભાડુઆત બે જ વર્ષમાં પોતાનું મકાન લઈ લે છે
ઓફિસથી 5 કિમીના વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે લોકો
મોટાભાગના ભાડૂઆત જવા આવવા માટે દ્વિચક્રી વાહનો વાપરે છે
અમદાવાદ જેવા મોટા શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી વધી રહી છે તે વાતનો એક મોટો સંકેત એક સ્ટડીમાં મળ્યો છે. રોજગારી અર્થે
લોકો ગામડાં અને નાના શહેરોમાંથી મોટા શહેરોમાં જાય છે. શહેરમાં આવ્યા બાદ લોકો ભાડા પર ફ્લેટ કે મકાન લે છે. આ પછી, તેઓ શહેરમાં પોતાનું ઘર ખરીદવાનું વિચારવાનું શરૂ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શહેરમાં રહેતા ભાડુઆતને પોતાની સંપત્તિ ખરીદવામાં કેટલો સમય લાગે છે? લગભગ 2 થી 4 વર્ષ. આર્થિક રીતે નબળા લોકો માટે આ સમયગાળો 10 વર્ષ સુધીનો હોઈ શકે છે. એક મોટી સંસ્થા દ્વારા અમદાવાદમાં કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી હતી.
જવા આવવા માટે ટૂ વ્હિલર વધુ અસરકારક
મોટા ભાગના ભાડૂઆતો ઓફિસની પાસે જ રહેવાનું પસંદ કરે છે. લોકો જ્યાં કામ કરે છે ત્યાંથી 5 કિલોમીટર દૂર રહેવા માટે જગ્યા શોધવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે, લગભગ 75 ટકા મધ્યમ વર્ગના ભાડૂતો જાહેર પરિવહન કરતા ટુ-વ્હીલર પર ઓફિસમાં જવાનું પસંદ કરે છે. આ કારણે મોટા ભાગના ભાડૂઆતો ટુ-વ્હીલર પાછળ પાંચ ગણા વધુ ખર્ચ કરે છે. આંકડા દર્શાવે છે કે 79 ટકા ભાડૂતો એપાર્ટમેન્ટમાં રહે છે.
અમદાવાદના કયા વિસ્તારમાં લોકો ઘર ખરીદવાનું પસંદ કરે છે
પ્રથમ વખત મિલકત ખરીદનારા લગભગ 50 ટકા ભાડુઆત છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રહે છે. જો કે છેલ્લા બે વર્ષમાં થોડો ઘટાડો થયો છે. તેનું કારણ વ્યાજદરમાં વધારો છે. આ કારણે ઈએમઆઈ ભાડા કરતા થોડી વધારે થઈ ગઈ છે. જો કે 30થી 50 લાખ રૂપિયાની વચ્ચે અફોર્ડેબલ પ્રોપર્ટી ખરીદનારા ભાડાના મકાનમાં રહેતા લોકો કરતા આગળ છે, હવે તેઓ પોતાની પ્રોપર્ટી ખરીદવા માંગે છે. અમદાવાદમાં શેલા, સાઉથ બોપલ, વૈષ્ણોદેવી સર્કલ અને ઝૂંડાલ અને પૂર્વ દિશામાં નિકોલ એવા વિસ્તારો છે જ્યાં લોકો પ્રોપર્ટી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.