ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે સારાં સમાચાર છે. હવે તમે પણ ઈ-કોમર્સ કંપની એમેઝોનના પ્લેટફોર્મ પર રેલ્વે ટિકિટ બુક કરાવી શકો છો. એમેઝોન ઈન્ડિયાએ ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) સાથે પાર્ટનરશિપ કરી છે. આ પાર્ટનરશિપ હેઠળ, એમેઝોન યુઝર્સ કન્ફર્મ ટ્રેનની ટિકિટ મેળવી શકશે.
એમેઝોન યુઝર્સ માટે સારાં સમાચાર
એમેઝોનના પ્લેટફોર્મ પર રેલ્વે ટિકિટ બુક કરાવી શકો છો
એમેઝોન યુઝર્સ કન્ફર્મ ટ્રેનની ટિકિટ મેળવી શકશે
આ સુવિધા હેઠળ પ્રથમ બુકિંગ પર કેશબેક આપવામાં આવશે. આ કેશબેક એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે 12% અને નોન પ્રાઈમ મેમ્બર્સ માટે 10% હશે. કોઈ વધારાનો સર્વિસ ચાર્જ લાગશે નહીં. એમેઝોનના પ્લેટફોર્મ પર સીટ ચેક, તમામ ક્લાસમાં ક્વોટા સેવા અને પીએનઆર સ્ટેટસની સુવિધા હશે.
એમેઝોન પેથી ચુકવણી કરનારા ગ્રાહકોને ટ્રેન કેન્સલ અથવા બુકિંગ નિષ્ફળ જાય તો તરત જ રિફંડ પણ મળશે. આ સુવિધા Android અને iOSના તમામ ફોન્સ પર ઉપલબ્ધ હશે. આ સુવિધાનો લાભ 15 નવેમ્બર સુધી મળી શકે છે.
આ રીતે એમેઝોન પર બુક કરી શકાય છે ટિકિટ
આ સુવિધા એમેઝોન એપના નવા વર્ઝન પર મળશે. જો તમે મોબાઈલથી બુકિંગ કરી રહ્યો છો તો ટ્રેન ટિકિટ ખોલીને ક્યૂઆર કોડ સ્કેન કરવો પડશે.
પછી Amazon.in પર જાઓ અને 'ટ્રેન ટિકિટ' ના વિકલ્પ પર ક્લિક કરો.
તમારી ટ્રેન પસંદ કરો.
પેમેન્ટ સેક્શન પેજ પર ક્લિક કરો અને યોગ્ય ઓફર પસંદ કરો.
તમારી ટ્રેન યાત્રાની ડિટેલ્સ ભરો અને પેમે્ન્ટ કરો.
પેમેન્ટ થયા બાદ તમારી ટિકિટ બુક થઈ જશે. અન્ય જાણકારી Amazon.in પર મળી જશે.