વસ્તી વધારો. એક એવી સમસ્યા જે આમ તો આપણને નાની લાગે છે પરંતુ હકીકતમાં તે દેશના તમામ ક્ષેત્રે અસર કરતી સમસ્યા છે. જેમ કે રોજગારી,બેકારી,અર્થતંત્ર પર અસરો,મૂડી સર્જનનો અવરોધ,વસતી ગીચતા. પણ શું નિયમોથી વસતી વધારાની સમસ્યા પર નિયંત્રણ રાખી શકાય ખરું? તાજેતરમાં અસમ સરકારે વસતી વધારા પર લગામ કસવા એક પહેલ કરી અને તે અંતર્ગત જેને 2 કરતા વધુ સંતાન હશે તેમને સરકારી નોકરી નહીં મળે.જો કે સરકારની પહેલને અહીં સલામ છે પરંતુ જનસમર્થન વિના વસ્તી પર નિયંત્રણ રાખી શકાય? નિયમોથી વસતી નિયંત્રણ કરવું કેટલું યોગ્ય કહેવાય ? શું જનભાગીદારી અને જનજાગૃતિથી વસતી પર નિયંત્રણ ન કરી શકાય? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન